SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિ તણા ભંડાર ૧, સત્ય. ૨, મૃષા. ૩, સત્યામૃષા, ૪, અસત્યામૃષા. સત્ય : સત્યવચન બોલવું દા.ત. પાપનો ત્યાગ કરવો જોઈએ. અથવા જે વસ્તુને જેમ જાણતા હોઈએ તે પ્રમાણે છતાં હિતાવહ જાણીને કહેવી. તેમાં ફેરફાર ન કરવો. અલ્પાધિકતા ન કરવી શાસ્ત્ર કથનથી વિરુધ્ધ ન બોલવું વગેરે. અસત્ય-(મૃષા) : અસત્ય વચન બોલવું. દા.ત. જગતમાં કંઈ પાપ જેવું નથી, અથવા કોઈને દુ:ખ આપવું તે પાપ નથી. પોતાના સ્વાર્થ કે લોભ માટે વસ્તુનું વિપરીત અર્થઘટન કરવું તે ભાષા અસત્ય છે. સત્યાįષા સત્ય-અસત્ય, મિશ્ર : જેમાં અંશે સત્ય હોય અને અંશે અસત્ય પણ હોય દા.ત. કોઈ પૂછે કે તમને કોણ મળ્યું હતું, ત્યારે એકનું નામ કહે અને બીજાનું છૂપાવે. કોઈ વસ્તુની કિંમત પૂછે તો અંશે સત્ય કહે અને અંશે અસત્ય કહે, આથી મિશ્ર વાણી તે સત્યામૃષા છે. અસત્યામૃષા - સાચું નહિ અને ખોટું પણ નહિ, અર્થાત તેના વચન સાથે કોઈ સંબંધ કે વસ્તુને મેળ ન હોય. જેમકે કોઈ માણસને તેની સાથે જેનો સંબંધ જ ન હોય તેવી વાત કહેવી. પુરુષને કહેવું કે તું ઘાસ ખા. અથવા ગામ જા. આ પ્રમાણે ચાર મનોયોગ છે. સત્ય મનોયોગ : સર્વનું હિત ચિંતવવું. મનને શુભભાવમાં રાખવું. અસત્ય મનોયોગ : અન્યને દુ:ખ આપવાની બુધ્ધિ. મૃષા - મિશ્ર : કંઇક હિત ચિંતવવું અને કંઇ માયા કપટ સત્ય આદિ અહિત ચિંતવવું. અસત્ય ઇચ્છવું. ૧૫૪ - - અમૃષા : કોઈનું હિત ન ઈચ્છવું, અને અહિત પણ ન ટૂંકનોધ : સત્ય : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy