SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિ તણા ભંડાર દાનાદિ ક્રિયાઓમાં પણ જો ઉપયોગ ન રાખે અને તે તે સ્થાનોમાં લોકો દુ:ખ પામે તો પણ તે જીવને દોષ લાગે છે. ભગવાન : હિંસક જીવન શાપયુક્ત છે. અહિંસક જીવન સુખદાયી છે. વળી ભવસાગર તરવા માટેનું મુખ્ય સાધન સમક્તિ છે, તે હિંસક માનવને પ્રાપ્ત થતું નથી. અને સમક્તિ વગર ચારિત્ર પ્રાપ્ત ન થાય, અંતે જીવ મુક્તિથી વંચિત રહી જાય માટે હિંસકભાવ મહા દુ:ખદાયી છે. અલ્પાયુષ મળવાનું ત્રીજું કારણ મહાવ્રતધારી સાધુજનોને દોષિત આહારાદિ આપવાથી જીવ બીજા ભાવે અલ્પાયુષી થાય છે. રત્નત્રયના ધારક પવિત્રાત્માની નિંદા કે તિરસ્કાર કરનાર પણ અલ્પાયુષી હોય છે. ટૂંકનોંધ :- વળી લોભ, સ્વાર્થ કે માયાવશ જીવ પોતાને ધનાદિની પ્રાપ્તિ થાય એટલા માટે જો સાધુજનોની સેવા કરે તો તે પણદોષી છે. દ્રષ્ટિરાગથી પ્રેરાઈને જે સાધુજનોની સંગતથી જીવોની હાનિ થાય તેવા આરંભ કરે તો તે પણ અલ્પાયુષી થઈ દુઃખ ભોગવે છે. અને દીર્ધાયુષી થાય તો પણ દુ:ખ ભોગવે છે. ગૌતમ : “હે ભગવાન ! સંવરધર્મી આત્મા કોઈ કાળે કામથી અને ભોગથી લપાતો નથી. તેથી જિજ્ઞાસા થાય છે કે કામ એ શું છે? અને ભોગ શું છે? કામ અને ભોગ રૂપી છે કે અરૂપી ? જીવ છે કે અજીવ છે ? જીવો અને અજીવોને કામ હોય છે? ભોગના કેટલા પ્રકાર છે? ભગવાન : "હે ગૌતમ ! સંવર ધર્મનું પાલન કરવાવાળા મુનિરાજો કામ કે ભોગોથી લેવાતા નથી; કારણ કે તેઓ પાંચ સમિતિ, ત્રણ ગુમિને ધારણ કરનારા છે. બાવીસ પરિષહોને સમભાવે સહન કરનારા છે. ક્ષમાદિ દશધર્મોના સમ્યફ પ્રમાણે પાલનકર્તા છે; વળી તેમનું ચિત્ત અનિત્યાદિ બાર ભાવનાઓથી ભાવિત થયેલું છે, અને જ્ઞાનચાર આદિ પંચાચારને આચારનારા છે. બ્રહ્મચર્યનું નવવાડથી પાલન કરે છે. આવા આત્મભાવમાં ૧૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy