SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિ તણા ભંડાર ચઉરિન્દ્રિય જીવો = સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય આ ચાર ઈન્દ્રિયોવાળા છે. ભમરા, તીડ, મચ્છર, આદિ છે. મનષ્યજાતિના લોકો આ જીવોનો પોતાની સુખાકારી માટે દવાઓ છાંટી નાશ કરે છે. અગર મધપૂડા જેવા પ્રકારોનો લાભ લેવા તેમને ધૂમાડા વગેરેથી મારવામાં આવે છે. બીજી અનેકરીતે આ જીવો વિરાધના પામે છે. એકેન્દ્રિયથી માંડીને ચરિન્દ્રિય સુધીના અસંખ્ય જીવો વરસાદ, તડકો, કે અન્ય રીતે પણ નાશ પામે છે. વળી જન્મને યોગ્ય પ્રર્યામિ થતાં પહેલા પણ નાશ પામે છે. સંશિ તિર્યંચ પંચેન્દ્રિય જીવો :- સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને થ્રોગેન્દ્રિય એમ પાંચ ઈન્દ્રિયવાળા છે. તેઓ મનવાળા છે પરંતુ મનુષ્ય જેટલી વિકસિત વિચારદૃષ્ટિ હોતી નથી. તિર્યંચો ત્રણ પ્રકારના છે. સ્થળચર, જળચર અને ખેચર (આકાશગામી) માતાપિતાના સંયોગથી ઉત્પન્ન થનારા ગર્ભ જ છે. તિર્યંચો પ્રાયે અશરણ અને અનાથ છે. જે મનુષ્યોએ આ જીવોને ભક્ષ્ય માન્યા છે, તેઓ તેમના માંસ ચરબી મેળવવા તેમને અત્યંત ત્રાસ આપે છે. ઔષધીઓ બનાવવા તેમના હાડકાંનો, ચરબીનો ઉપયોગ કરવા, તથા તેમના ઉપર રાસાયણિક પ્રયોગ કરવા તેમને નિર્દયપણે ત્રાસ આપવામાં આવે છે. અરે ! આજના આ ભારતમાં પશ્ચિમના અધિપતિઓએ પોતાને માટે નરકનું આમંત્રણ મેળવવા પીપરમિંટ અને ચોકલેટ જેવા આકર્ષણ પદાર્થો ઉત્પન્ન કરી તે દ્વારા આબાલ વૃદ્ધ સૌની હોજરીને ભ્રષ્ટ કરી છે. કારણ કે તે પદાર્થોમાં આ પ્રાણીઓની ચરબી ભેળવવામાં આવે છે. માનવના ભરોસે જીવનારા, રામ કે ને પ્રિય આ પશુઓ, ૧૩૧ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy