SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ લબિ તણા ભંડાર મહાવીર સ્વામીની જેના પર કરૂણા દૃષ્ટિ છે તેવા નિર્દોષ અને મૂક જાનવરોને સેંકડોની સંખ્યામાં ગોઠવી એક જ શસ્ત્ર વડે મરણને શરણ કરવામાં આવે છે. તે વખતના તેમના તરફડાટનું જ્ઞાની પણ કદાચ વર્ણન કરી ન શકે. વસ્ત્રો બનાવવામાં, જતા, બેગ જેવા ભોગવટાના સાધનોમાં આ પ્રાણીઓની ચામડી કેવી રીતે ઉતરડાતી હશે ? તેમના શિંગડા અને વાળ લેવા માટે પણ તેમને મારવામાં આવે છે. તે દ્રશ્ય જ અકલ્પનીયા દુ:ખદાયી છે. પક્ષીઓનું જગત પણ આવા ત્રાસથી મુક્ત નથી. આજના માનવીને તેમના માંસ તો ઠીક પણ પીંછા વગેરેનો ભોગ કરીને શું પ્રાપ્ત કરવું હશે ? તે ઉપરાંત તેમના અવયવોનો, માંસાદિનો ભોગ કરીને માનવ તેમના દુઃખને ભવિષ્યમાં પોતાનું બનાવી રહ્યો છે? પશુ પક્ષીઓને જગતના આવા અનેકવિધ દુઃખો વર્ણનાતીત છે. વળી જંગલાના અરસપરસના વેર ભાવ પણ સર્પ નોળિયાની જેમ દુઃખદાયક હોય છે. વનમાં લાગતી દાહ, વાવાઝોડા જેવા ત્રાસ પણ કંઈ ઓછા નથી. નરી પરાધીનતામાં તિર્યંચો જીવન ગુજારે છે. તેઓ પોતાના રક્ષણ કે પોષણ માટે કંઈ કોર્ટ કચેરીમાં દાવો માંડી શકતા નથી. તેમને માથે સતત ભય તોળાયેલો હોય છે. ગધેડા, બળદ કે ઉટ જેવા પ્રાણીઓને જે ભાર ઉચકવો પડે છે, અને કમરની સડક પર દોડવું પડે છે, તે બિચારા મૂંગે મોઢે સહે છે. તેવા અનેક પ્રકારના દુઃખ તિર્યંચયોનિ પામીને જીવે સહન કર્યા છે. તે વાતનું વિસ્મરણ કરી માનવ આ જીવનમાં મળેલો અવસર ભૂલી પુન: તેવા દુ:ખની પ્રાપ્તિને આમંત્રણ આપે છે. નિયંચગતિનો હેતુ : - (કરણ) ઉન્માર્ગની દેશના ... જેનાથી સંસારની વૃદ્ધિ થાય. ૧૩ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy