SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિ તણા ભંડાર સાધેલી સાધનાની ફલશ્રુતિએ અંતરંગને અજવાળ્યું હતું. અનેક લબ્ધિઓ તેમને પ્રગટ થઈ હતી. સાધુતા તો તેમને વરેલી જ હતી, પણ પૂર્વ જીવનમાં રહેલી શંકા અને લોકસંજ્ઞા પણ પ્રભુના શરણના સ્વીકારથી નષ્ટ થઈ જવાથી, નિર્મળ સાધુતા પ્રગટી હતી. આ સાધુતા એટલે તપ, ત્યાગ, વૈરાગ્ય, તિતિક્ષા, કયાની માયાની નિવૃત્તિ, કષ્ટ છતાં પ્રસન્નતાપૂર્વકનું જીવન હતું. અંતિમ સાધ્ય મુક્તિ હતું. ઇન્દ્રભૂતિગૌતમ પાસે પૂર્વનું સામર્થ્ય, આત્મબળ કાંઈ ઓછા ન હતા, તેથી તો તેઓ પ્રભુ પાસે પહોંચી શક્યા હતા. ઝવેરીની દુકાને ઝવેરાત લેવા ઝવેરી જાય, ક્યાં શ્રીમંત જાય, તેમ પ્રભુ પાસે પહોંચવા પાત્રતા જોઇએ. ભગવાનનું પવિત્ર શાસન પામીને, તપ, ત્યાગ, વૈરાગ્યનો સન્માર્ગ પામી ગૌતમસ્વામીની પ્રતિભા ચારે દિશાએથી પ્રગટ થવા માંડી હતી. અવિરતપણે સાધનાક્રમને સેવતા ગૌતમમાં સ્ટેજે લબ્ધિઓ પ્રગટ થઈ હતી. તેને કોઈ રત્નના ઢગલા કે સોનૈયા સાથે સરખાવી શકાય તેમ નહતી. કારણ કે આ લબ્ધિઓ નિર્મળ જીવનની નીપજ હતી. સ્વાધીન ઐશ્ચર્ય હતું. છતાં ગૌતમસ્વામીનું લક્ષ તો એક જ હતું. કેવળ પ્રભુભક્તિ. અંતરગતપણે તેમનું ચિત્ત આત્મોપાસનાયુક્ત મુક્તિ પ્રત્યે આકર્ષાયેલું રહેતું. પરંતુ તેમની પવિત્રતાના આકર્ષણથી તેમના પ્રભુ પ્રત્યેના અનન્ય અહોભાવથી અથવા અત્યંત નિસ્પૃહ ભાવનાયુક્ત તપ તેજથી, વણમાંગી લબ્ધિને રિદ્ધિઓ તેમના ચરણમાં ઝૂકેલી હતી. કેમ જાણે તેમને પણ આ ઉત્તમ સ્થાન ગમી ગયું ન હોય ! આ મહાપુરષ દ્વારા પ્રગટ થવા તે રિદ્ધિ-સિદ્ધિઓએ પોતે જ તેમનું શરણ સ્વીકાર્યું હતું, અને છતાં ગૌતમયોગી જાણે તેનાથી સાવ વિરક્ત હતા. છતાં તેમની લબ્ધિઓ તે કાળના જગતના જીવો માટે નિરાશામાંથી બહાર નીકળવાનો આશાનો તંતુ હતી. તેથી તો તેમના વચનનો બોધ ૧૧૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy