SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ લબિ તણા ભંડાર અંગૂઠે અમૃત વસે જૈનધર્માવલંબીજનોના કંઠે આ પંક્તિ ગવાય છે. દરેક પોતાના વાંછિતની પ્રાપ્તિ પ્રમાણે તેનું અર્થઘટન કરે છે. જો કે ગૌતમ સ્વામીના લબ્દિભંડારનું રહસ્ય કોઈ અનેરું છે, તે કોઈ વિરલ જીવો જ પામે છે. વિશ્વમાં થયેલા મહાન આત્માઓની વિશિષ્ટતાઓ મહાન, સુખદ, અનુમોદક અને ઉપકારી હોય છે. પણ ગૌતમસ્વામીની લબ્ધિ કહોકે વિશિષ્ટતાઓ અદ્ભુત હતી. આ પંક્તિના ભાવાર્થની કલ્પનાના મનોભાવ જ આપણને ગૌતમસ્વામીના ઐશ્વર્યનું સાનંદાશ્ચાર્ય ઉત્પન્ન કરે છે. ઇન્દ્રભૂતિ જન્મથી જ પૂર્વજન્મના ઉત્તમ સંસ્કાર સહિત જન્મ્યા હતા, અને વિપ્રવર તરીકે તેમનું જીવન ઘણું ઊંચું હતું. ગૃહસ્થ છતાં સુખભોગ, આશા તૃષ્ણા, કંચનકામિની અને વિષયથી તેઓ ઉભુખ હતા, અનાસક્ત હતા. તેમનું જીવન વિદ્યાભ્યાસથી રંગાયેલું હતું. તે કાળના શાસ્ત્રવિદ્ અને મંત્રપાઠી દેશપ્રદેશ ફરતી વિદ્યાપીઠ જેવું તેમનું જીવન ઉજજવલ હતું. રૂપ મળવા છતાં તેનો મદ ન હતો, બળ મળવા છતાં કોઈની સામે યુદ્ધમાં ઉતરવાનો મત્સર ન હતો, અનેક સુખ સગવડો છતાં ભોગ પ્રત્યે આદર ન હતો. તેઓ તપસ્વીજીવન જીવતા હતા. એક કાળે શાસ્ત્રજ્ઞાનનું માન તેમને સર્વજ્ઞ તરીકે પંકાવા પ્રેરતું હતું. અને એ પણ ભગવાન મહાવીરના સાનિધ્યથી મીણની જેમ પીગળી ગયું હતું. તે પછી ગૌતમને થયેલો આવિર્ભાવ તો કેવળ નિર્મળ, સરળ, ઉદાર, વિશાળમના વાત્સલ્યપૂર્ણ, ભાવનાયુક્ત હતો. તેમના સાનિધ્યમાં સંસારતાપથી તમ જીવો શીતળતા પામતા, અને ભવરોગ અને ભાવરાગ શમવાની યુક્તિ પ્રાપ્ત કરતા. તેમની ઉપસ્થિતિ સુવાસિત પુષ્પની જેમ આનંદ આપતી. સર્વજ્ઞ પરમાત્માની આજ્ઞા પ્રમાણે ૧૦૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy