SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિ તણા ભંડાર પામી જીવ સંસારને સહેજે ત્યાગી દેતો. આશ્ચર્ય તો એ છે કે આ લબ્ધિઓ ગૌતમના કેવળ પાર્થિવ દેહને વરી હતી તેવું ન હતું. તેમનું આત્મૌપમ્ય પણ આ લબ્ધિઓએ સ્વીકાર્યુ હતું. તેથી જ આજે તેમનો દેહ આપણી સમક્ષ ન હોવા છતાં આપણે તેમના નામનો મહિમાં આત્મરૂપ ગણી તેમને સ્મરીએ છીએ. શ્રી ગુરુ ગૌતમ સમરીએ, વાંછિત ફળ દાતાર" "ઉપર ગૌતમસ્વામીની લબ્ધિઓમાં પરમાર્થનું તત્ત્વ સવિશેષ હતું, કારણ કે વિશુદ્ધજીવનયોગ દ્વારા આ લબ્ધિઓ વગર આકાંક્ષાએ પ્રગટ થઇ હતી. ગૌતમે પ્રભુભક્તિનું ફળ ઇચ્છયું ન હતું. તેમણે ભક્તિને ભક્તિસ્વરૂપે જ રાખી હતી. તેથી તે પ્રભુના નિર્વાણ પછી મુક્ત થયા. આ ભક્તિમાં જ તેમની મુક્તિ સમાયેલી હતી. ગૌતમસ્વામીની લબ્ધીઓનું રહસ્ય શું હતું ? તેઓના હાથનો સ્પર્શ થતો અને જીવોના દુ:ખદર્દ દૂર થતાં. તેમના સાન્નિધ્યથી દીનતા દર થતી. એમના મળમૂત્ર સુગંધિત અને ઔષધરૂપ હતાં. તેમની નાડીઓ અને ઇન્દ્રીયો નિર્મળ હતી. તેઓ આકાશગમન કરી શકતા હતા. અન્યનાં મનન-વિચારો જાણી શકતા અને તેમનો વચનયોગ તો જીવોનું તારણ બની જતો. મોક્ષને પ્રયોજનભૂત યોગસાધકને અનેક પ્રકારની લબ્ધિઓ પ્રગટ થાય છે. તે કાળમાં અને આજે પણ સાધકો કોઈવાર પોતાની સાધાનાનું અવમૂલ્યન કરી નાખે છે. આ તો મહાન ગણધર, પદધારી, ૠજુસ્વભાવી, નિર્લેપી, અનન્ય ભક્ત, આજ્ઞાંકિત શિષ્ય મહાન મનોજયી હતા. લબ્ધિ કે રિધ્ધિનાં બળો તેમને બાધક ન હતા, છતાં કોઇનું કલ્યાણ થતું હોય તો સહજપણે જગતને તેમની લબ્ધિઓની જાણકારી પણ પ્રાપ્ત થતી. Jain Education International For Private & Personal Use Only ૧૧૧ www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy