SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ લબિ તણા ભંડાર ગૌતમસ્વામી : “હે કેશીકુમાર ! તમારો પ્રશ્ન યોગ્ય છે. તમે જાણો છો કે બન્ને ભગવાનના ઉપદેશનું પ્રયોજન તો મોક્ષમાર્ગનું છે. આચરણમાં જે વ્યાવહારિક ફેરફાર કર્યો છે, તે દેશકાળને લક્ષમાં રાખીને કર્યો છે. આ કાળના માનવોનો સ્વભાવ ભગવાન પાર્શ્વનાથના સમય જેવો સરળ નથી. તેમની બુદ્ધિ જડ છે અને પ્રવૃત્તિ વક છે તેથી આચારના શુદ્ધ પાલન માટે ફેરફાર ક્યું છે. ભગવાન પાર્શ્વનાથના સમયમાં અપરિગ્રહના વ્રતમાં સાધકો સહજપણે સ્ત્રીનો ત્યાગ અર્થાત્ બ્રહ્મચર્યને ધારણ કરી લેતા, પણ આ કાળના સાધકો બુદ્ધિને જોડી કંઈ છૂટછાટ લે તો વ્રતનો ભંગ થાય, તેથી બ્રહ્મચર્ય વ્રતનો અલગ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. તાત્વિક દૃષ્ટિએ તો બંનેનો હેતુ કેવળ નિગ્રંથ માર્ગને અનુસરવાનો છે અને આત્માની વિશુદ્ધિ માટે છે.” કેશીકુમાર શ્રમણનું અને તેમના સમુદાયનું શંકાનું નિવારણ થતાં સૌ પ્રસન્ન થયા. ગૌતમસ્વામીની ગંભીરતા જ્ઞાન પ્રતિભા અને નિખાલસતાથી પ્રભાવિત થઈને કેશીકુમાર શ્રમણના ચિત્તમાં ઉદ્ભવતા કેટલાક પ્રશ્નો તેમણે પૂછયા. કેશીકુમાર : “હે મહાભાગ! અંતરંગમાં ચાલતા વિષય અને વિકલ્પો રૂપી શત્રુઓની વચમાં રહીને પણ આપે તેમને કેવી રીતે પરાજિત કર્યા હતા? ગૌતમસ્વામી : “હે શ્રમણ ! સૌ પ્રથમ એ સર્વ દુશ્મનોનો રાજા જે મોહ હતો તેણે મેં પ્રથમ પરાજય આપ્યો હતો જયાં મન વશમાં આવ્યું કે કષાય અને વિષય વશ થાય છે. આમ મન વશ કરતાં કોઇ શત્રુ આપણને હરાવી શકતો નથી, તેથી આત્મવિકાસ શકય બને છે.” કેશીકુમાર : “છતાં હે ગૌતમસ્વામી! મન રૂપી ઘોડો લગામ તોડીને ૧૦૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy