SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિ તણા ભંડાર ખોટે માર્ગે દોડી જાય છે ત્યારે તેના પર કેવી રીતે કાબુ મેળવી શકાય? ગૌતમસ્વામી : “હે શ્રમણ ! મન રૂપી ચંચળ અને તોફાની ઘોડાને પ્રથમ શ્રુતજ્ઞાનના આધારે ગુરુની કૃપા વડે કાબુમાં લેવો. ત્યાર પછી આત્મજ્ઞાન પ્રાપ્ત થયે તેને કાબુમાં લઈ શકાય છે. પછી તેને ધર્માચરણમાં જોડતા તેના સર્વ તોફાનો શમી જાય છે." કેશીકુમાર : “હે મહાનુભવ ! જન્મ, જરા અને મરણના અનાદિના પ્રવાહમાં તણાઈ જતાં જીવને કોણ બચાવી શકે? ગૌતમસ્વામી : “હે શ્રમણ ! આ સંસારના અનાદિના જન્મ આદિ પ્રવાહથી બચાવનાર એક માત્ર સર્વજ્ઞના પ્રરૂપિત ધર્મનું શરણ છે. વિનશ્વર એવા આ સંસારથી બચાવનાર શુદ્ધ ધર્મ છે તેમ જાણવું. કેશીકુમાર : “આ સમસ્ત સંસાર કર્મરૂપી બંધનથી જકડાએલો છે તે બંધનોથી મુક્ત થવાનો માર્ગ તમે કેવી રીતે શોધ્યો?” ગૌતમસ્વામી : “આ સંસારમાં બંધન રૂપ જીવનું અજ્ઞાન અને મોહ છે. વળી સંસારના પદાર્થોમાં આસક્તિ, સ્ત્રી આદિમાં સ્નેહ, પરિગ્રહની મૂછમાં જીવ બંધનથી ફસાય છે. મેં પ્રથમથી જ તે બંધનોને છોડવાનો સત્યપુરૂષાર્થ કર્યો હતો. અને ભગવાનના બોધને ગ્રહણ કરીને કર્મ બંધનોથી હું મુક્ત થઈ મારો આત્મવિકાસ સાધી રહ્યો છું કેશીકુમાર : અંતરના ઉંડાણમાં રહેલા સૂક્ષ્મ દોષોનો ઘણો પ્રભાવ હોય છે. તે વિષવેલ જેવા હોય છે તેને જડમૂળથી આપે કેવી રીતે છેદી નાંખ્યા? ગૌતમસ્વામી : “હે શ્રમણ ! પૂર્ણતા કે વીતરાગતા પામતાં પહેલાં આપણા મનમાં સૂક્ષ્મ દોષો કે કષાયો તે વિષવેલ છે. તે આપણી મોક્ષરૂપ સાધનાને નષ્ટ કરી નાંખે છે, અને જીવ પાછો સંસાર સાગરમાં ડૂબે છે. પરંતુ જે વીતરાગમાર્ગ અને પ્રભુની આજ્ઞાઓ આરાધ છે તે એ વિષવેલને જડમૂળથી ઉખેડીને મુક્ત થઈ જાય છે. તેમ હું તેવી વિષવેલ રૂપ આશા ૧૦૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy