SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિ તણા ભંડાર કરતા. તેમાં આચારભેદની વાતો પણ થતી. નિગ્રંથ પરંપરાના ધર્મનું તત્ત્વ અને ધ્યેય તો સમાન હતા. છતાં આચાર અને ક્રિયાનો ભેદ કેમ છે તે શંકાનું નિવારણ સૌ ઈચ્છતા હતા. શ્રમણ કેશીકુમાર ઈન્દ્રભૂતિ ગૌતમ તાં વયમાં મોટા હતા અને મતિ, શ્રુત તથા અવધિજ્ઞાનના ધારક હતા. ઇન્દ્રભૂતિ ગૌતમ મતિ, શ્રુત અવધિજ્ઞાન અને મન:પર્યવ જ્ઞાન એમ ચાર જ્ઞાનના સ્વામી હતા. વયમાં નાના હતા, પરંતુ વિદ્યમાન તીર્થંકર ભગવાનના પટ શિષ્ય હતા અને મોટા સમુદાયના ગણધર હતા છતાં તે ઓ અત્યંત સરળ અને વિનમ્ર હતા. શિષ્યવૃંદમાં થતી ચર્ચાઓના કારણે ગૌતમ સ્વામીએ વિચાર્યું કે, ભલે કેશીકુમાર જ્ઞાનમાં અલ્પતા છે, પણ વયોવૃદ્ધ છે તેમજ વડીલ છે, માટે મારે તેમને મળવા જવું જોઈએ. આથી તેઓ પોતાના કેટલાક શિષ્યો સાથે કેશીકુમારને મળવા સિંદુક વનમાં પહોંચી ગયા. શ્રમણ કેશીકુમારે ગૌતમસ્વામીને આવતાં જોયાં, કે તુરતજ અત્યંત વિનમ્ર ભાવે તેમની સામે ગયા, અને તેમનું અને તેમના શિષ્ય સમુદાયનું હાર્દિક સ્વાગત કર્યું. બંન્નેના સ્વભાવમાં સહજતા હતી, સાચી જીજ્ઞાસાવૃત્તિ હતી. તેમને કોઇ વાદ વિવાદ કરીને અન્યોઅન્ય, જય પરાજય કરવાનો કોઇ ઉદ્દેશ ન હતો. બંન્નેના પવિત્ર મનોભાવથી વાતાવરણ પણ જાણે ઉલ્લાસમય બની ગયું. સહજપણે ધર્મચર્ચાની શરૂઆત થઈ. વિનયશીલ શ્રમણ કેશીકુમારને ગૌતમસ્વામી પ્રત્યે અત્યંત આદર સહિત પ્રશ્ન પૂછવાની અનુજ્ઞા માંગી. કેશીકુમાર શ્રમણ : "હે પૂજય ! ભગવાન પાર્શ્વનાથે ચાર મહાવ્રતોના ધર્મનું નિરૂપણ કર્યું હતું. તેમનો સમુદાય આજ સુધી ચાર મહાવ્રતો પાળતો આવ્યો છે, અને ભગવાન મહાવીરે વર્તમાન પાંચ મહાવ્રતની પ્રરૂપણા કરી આવો ફેરફાર શા માટે કર્યો ?” Jain Education International For Private & Personal Use Only ૧૦૧ www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy