SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ લબિ તણા ભંડાર ધર્મશાસન પ્રભાવક ગૌતમ ભગવાન મહાવીરના ઉપદેશને ગ્રહણ કરી, તેને અનુરૂપ સૂત્રરચના ઓ કરી, ગૌતમસ્વામી પ્રભુના બોધની અવિરત પ્રભાવના કરતા. ધર્મપ્રભાવક ગૌતમસ્વામી જગતના જીવો કલ્યાણ પામે તેવી અત્યંત કરણાવાળા હતા. આથી તેઓ ગામેગામ વિહાર કરીને જીવોના ઉધ્ધાર માટે પ્રભુના ઉપદેશને લોકભોગ્ય બનાવતા, અને હજારો માનવીઓ ગૌતમસ્વામીનો ઉપદેશ સાંભળી સંસારનો ત્યાગ કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરતા. છતાં ગૌતમસ્વામી તો એમ જ માનતા કે આ સર્વ પ્રભુના ઉપદેશનો મહિમા છે. ક્યારેક તેઓ પ્રભુની આજ્ઞા ધારણ કરી ચાલી નિકળતા તો ક્યારેક પોતે વિહારમાં જીવોને બૂઝવીને મોક્ષ ભેગો કરી દેતા. અનાદિકાળથી સંસારના યોગે દુ:ખને ભોગવતો જીવ ગૌતમવાણીની લબ્ધિઓથી સિધ્ધલોકનો યાત્રી બની જતો. ગૌતમ આવા અપૂર્વ પ્રભાવક હતા! એક વખત ગૌતમસ્વામી વિહાર કરતાં કરતાં રાજગૃહી નગરીના નાલંદાવાસ નામના પરામાં હસ્તિધામ નામના ઉદ્યાનમાં પધાર્યા હતા. તે પરામાં ઉદક નામનો પેઢાલપુત્ર રહેતો હતો. તે કાળે અને તે સમયે ભગવાન મહાવીરની પરંપરાના શ્રમણ નિગ્રંર્થો સ્થળે સ્થળે વિહાર કરતા હતા, અને તે લોકો પ્રભુના ઉપદેશ અનુસાર અહિંસાધર્મનું પાલન કરવા માટે બોધ આપતા. સૌ તેને પ્રતિજ્ઞારૂપે ગ્રહણ કરતા. રાજા વિગેરેની બળજબરીને કારણે, કોઈ ગૃહસ્થ કે ચોરને બંધનમાં નાખવારૂપ, તેવા હાલતાં-ચાલતાં જીવોની હિંસા બાદ કરતા, અને બધી હિંસાથી બચી શકાતું ન હોય તો અલ્પ પણ હિંસાથી બચી શકાય, એવી ભાવના રાખીશ અને હાલતા-ચાલતાં ત્રસ જીવોની હિંસા નહીં કરું.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy