SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ લબિ તણા ભંડાર વાચકો, આ ઘટના વાંચીને આપણા માન-સ્વમાન અને અહંકારનાં પડળો ખૂલી જાય તેવું આ દશ્ય છે ! ઈન્દ્રભૂતિનું હું કેવું ગળી ગયું ! આપણી કલ્પના બહારના તેમના જીવનના આ રહસ્યો આપણને ઉપદેશ આપે છે કે, જીવન સરળ બનાવો; સત્યનો સ્વીકાર કરવા હમેશાં તત્પર રહો! જયારે જયારે એવી તક મળે ત્યારે કર્મથી હળવા બનો ! પદવીથી મોટા, લબ્ધિથી ઊંચા, શાનથી વિશેષ, ત્યાગમાં ઉત્તમ એવા ગુરગૌતમ ગૃહસ્થ સંસારી આનંદની ક્ષમા માંગવા જાય છે. પ્રતિક્રમણ જેવી ક્રિયામાં આ કામ પતાવી ન શકાય? અથવા પ્રભુને કહેવા માત્રથી વાત પતી ન જાય? ભગવાનનું શાસન કહે છે કે મેં જેમને દુભવ્યા છે, તેમની માફી ન માગતા સો વાર ઝપાપાત કરે તો પણ મૂળ દોષ જતો નથી. પ્રભુના શાસનના સાચા પ્રભાવક ગૌતમસ્વામી હતા અને રહેશે. તેમણે શાસનની પ્રણાલિની અગ્રીમતા સ્વીકારી. જગતને પણ એ જ શિક્ષા આપી છે. ગૌતમસ્વામીની વાસ્તવિક લબ્ધિ આ હતી તેથીજ આપણને ચમત્કારિક લબ્ધિઓના પ્રસંગે પ્રાપ્ત થતા નથી, પણ પરમાર્થિક લબ્ધિઓનું દર્શન થાય છે. તેમને થતાં વંદન-ચંદનથી પણ શીતળ છે. ધન્ય ગુરુ ગૌતમ સ્વામી ! ધન્ય આનંદ શ્રાવક ! બહુ વિનોથી ભરપૂર અને ઝડપથી ચાલ્યા જતાં નાશવત આયુષ્યવાળા જીવતરમાં પુર્વે કરેલા દુષ્કર્મને જલ્દી દૂર કર. હે ગૌતમ ! એક ક્ષણનો પણ પ્રમાદ ન ક૨. પીળું જીર્ણ પાન રાત્રિનો કાળ પૂરો થયે જેમ પડી ! જાય છે. તેમ મનુષ્યોનું જીવિત પણ આમુખ પૂર્ણ થયે પડી જાય છે. માટે તે ગોતમ / એક ક્ષણનો પણ માફ ન કર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy