SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ લબિ તણા ભંડાર હાલિક્તા ભાગી જવાના પ્રસંગનો ભેદ સમજાવતાં ભગવાને કહ્યું કે હે ગૌતમ ! આ હાલિકના મનમાં જ ઉત્પન્ન થયો તે સકારણ છે. જગતમાં જે કંઈ સંયોગો મળે છે તેની પાછળ કાર્યકરણનો સિધ્ધાંત રહેલો છે. દરેક કર્મના ફળની પાછળ આવો કાર્યકારણભાવ છૂપાએલો હોય છે. અને જીવ તેનો ઉકેલ જાણતો ન હોવાથી કર્મવશ સુખદુ:ખ ભોગવે છે. હાલિક તમારા વચનથી બોધ પામો, અને મને જોવા માત્રથી તેના મનમાં પ્રેમ પેદા થયો, તેમાં તે ભલા જીવનો દોષ નથી તેની અને આપણા સંબંધોની પુરાણી કથા છે. તે કાળે તે સમયે હું ત્રિપુર વાસુદેવ હતો તમે મારા સારથિ હતા. હાલિકનો જીવ સિંહ હતો. તે વનમાં નિર્ભયપણે વિહરતો હતો. નગરજનોને રંજાડતો હતો. આથી તે નગરના રાજાએ પ્રજાના રક્ષણ માટે સિંહને પકડવાનો આદેશ આપ્યો. અને તે કાર્ય મને સોંપવામાં આવ્યું. મેં એ બળવાન સિંહને વસ્ત્રની જેમ ફાડી નાખ્યો હતો. તરફડતો સિંહ કોઈ અકથ્ય વેદના સહી રહ્યો હતો, તેની આંખો કહેતી હતી કે એક સામાન્ય માનવીએ મારા જેવા વનરાજાને ક્ષણ માત્રમાં ચીરી નાંખ્યોમારું આવું કમોત ! તે વખતે હે ગૌતમ! તમે સારથિ તરીકે ત્યાં ઉપસ્થિત હતા. તમારા હૃદય અત્યંત કરુણાસભર બની ગયું. તમે તેની નજીક જઈ અતિ સ્નેહ આશ્વાસન આપ્યું હે નરકેસરી! તમે વનના રાજા છો. આ મનુષ્યલોકના રાજ, તે પુરુષમાં સિંહ જેવા છે. તમે કાંઈ સામાન્ય માનવથી ઘાત પામ્યા નથી માટે નિશ્ચિત થાઓ.' તે સમયે તેને તમારા પ્રત્યે મિત્ર ભાવ થયો ૮૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy