SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિ તણા ભંડાર હતો. અને મારા પ્રત્યે શત્રુભાવ થયો હતો. આવા શુભાશુભ કર્મસંસ્કારો મહાસત્તાના પેટાળમાં જામેલા રહે છે. તે યોગ્ય કાળે પ્રગટ થઈ જીવને વિવશ બનાવે છે. સિંહનો દેહ છૂટયો પણ પેલા રાગ અને દ્વેષના ભાવ સાથે ગયા અને કરોડો વર્ષ પછી વળી આવો યોગ મળી ગયો કે ધરતી પર આ ત્રણ જીવોનો સંયોગ થયો. ત્રિપુષ્ટ વાસુદેવનો જીવ હું કે જેની સાથે તેને વૈરભાવ સેવ્યો હતો, તેથી તે મને જોતાં જ ભાગી ગયો ! સારથિ તરીકે તમે તેને સ્નેહભાવે આશ્વાસન આપ્યું હતું તેથી તમારા બોધી તેને તમારા પ્રત્યે સ્નેહ પેદા થયો. આ કથા શ્રવણ કરીને આજ્ઞાંકિત એવા ગૌતમને એવો પ્રશ્ન ઊઠયો કે “પ્રભુ ! તમે તો સર્વ જાણતા હતા છતાં શા માટે આવો પરિશ્રમ કરાવ્યો ?' ગૌતમના ચિત્તમાં એક જ રટણ હતું; પ્રભુ જે કંઈ કરશે તે સૌના હિત માટે જ હોય. આથી પ્રભુનો પડતો બોલ ઝીલવો તેજ તેમનું જીવન બની ગયું હતું. તેમને ક્યારેય પ્રશ્ન ન થતો કે : ક્યારે ? કેમ ? શું ? એક જ મંત્ર ‘જેવી આશા’ અંતે ભગવાને ખુલાસો ર્યો : ‘હે ગૌતમ ! તમારો પરિશ્રમ એળે જવાનો નથી. તમારી વાણીથી બૂઝેલો એ જીવ પાત્ર છે, અને અમારી દૃષ્ટિ તેના પર પડી છે. તેથી તે જીવ કાળક્રમે તરવાનો, મુક્ત થવાનો છે માટે તમે ક્ષોભનો ત્યાગ કરીને નિશ્ચિતપણે પ્રવર્તો. પ્રભુમુખેથી આવો ખુલાસો મેળવી ગૌતમસ્વામી પ્રસન્ન થયા. આજ્ઞાનું આરાધન તે તેમની ઉપાસના હતી. Jain Education International For Private & Personal Use Only ૮૧ www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy