SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ બિહામણી વિષયોની વિકૃતિ તારા ચિત્તમાં ઊપસે છે. તે બહારની પ્રતિકૂળતાઓ કરતાં પણ ભયાનક છે. ન કોઈને દેખાય, ન કોઈને કહેવાય, ન સહેવાય, અને અંતર તો દર્દથી ઘેરાયેલું જ રહે. ભગવાન તો આવા ઉપસર્ગો દ્વારા ચિત્તમાં ખૂણેખાંચરે પડેલી વિકલ્પોની જાળને તોડીને અંતરને પ્રકાશથી અજવાળતા હતા. ઘટમાં રહેલા પરમતત્ત્વને પ્રગટાવવાનો પંથ આ છે, તે પંથે વિરલ જીવો પહોંચે છે. બસ કરુણા વરસાવી ભગવાન મહાવીર સૃષ્ટિમાં મૈત્રીસૌંદર્ય સ્થાપવા પ્રગટ થયા હતા. અભયદાન વડે જીવસૃષ્ટિને ઉષ્મા આપી રહ્યા હતા. ગૃહસ્થદશામાં સેવેલાં સ્વપ્ન સાકાર થતાં હતાં. અનાદરની સામે ઉદારતા, ઉપસર્ગ સામે સમતા, એકાંતમાં સ્થિરતા, લોકમાં મૌન ; આવા હતા મહાવીરના આંતરિક અવસ્થાના ચમત્કારો. શ્રમણ મહાવીર માટે શું કહેવું, સહસ્રમુખે ઇન્દ્રો સ્તુતિ કરે તો પણ વર્ણન થઈ ન શકે. વિહાર કરતા ભગવાન કનકખલ આશ્રમમાંથી પસાર થતા હતા. ત્યાંથી આગળ જતાં એક દેવાલય આવતું હતું, ગામજનોએ શ્રમણને પાછા વાળવા પ્રયાસ કર્યો. “ભંતે, એ દિશામાં ના જશો. ત્યાં એક ભયંકર સર્પ દેવાલયનો સ્વામી બની બેઠો છે. તે મહાવિષધર છે. તેના ફૂંફાડાથી આ ધરતી વિષમય બની ગઈ છે. એ સર્ષે અહીં સ્મશાન રચી દીધું છે.” શ્રમણ ભગવાન મહાવીર એ સાંભળીને પ્રસન્ન થયા, વળી મૈત્રીનો મોકો મળ્યો. દેવાલયમાં પહોંચીને તે ધ્યાનસ્થ થયા. બાહ્ય જગતના સંબંધથી મુક્ત હતા. એ સર્ષ પૂર્વજન્મના નામથી ચંડકૌશિક નામે પ્રસિદ્ધિ પામ્યો હતો. જંગલમાં સ્વચ્છેદે ભમતો તે જ્યારે પાછો આવ્યો ત્યારે તેણે જોયું, કે તેના સ્થાનમાં આજે ઘણા સમયે કોઈ માનવ આવી ચઢ્યો છે. કેમ જાણે ઘણા દિવસનો ક્ષુધાતુર હોય તેમ ફૂંફાડો માર્યો, તેની દૃષ્ટિ વિષથી ભરાઈ ગઈ, તેને લાગ્યું કે અન્ય માનવની જેમ આ પણ દૃષ્ટિવિષથી ૮૮ હિતશિક્ષા - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy