SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ મામલો છે. તેમણે કહેવા ખાતર વિનંતિ કરી ન હતી. ભક્તિભાવે વિનંતિ કરી હતી. મોહથી મૂંઝાતા જીવો સુખના દિવસોમાં એવા લોભાય છે કે પોતે જ ધર્મને ધારણ કરતા નથી. ધર્મ કરવામાં જાણે કષ્ટ પડી જવાનું હોય તેમ તેનાથી દૂર ભાગે છે. તો પછી અન્યને સહાયક થવામાં દુઃખી થવાનું તો તે વિચારી જ કેવી રીતે શકે ? ભાઈ ! આ ઇન્દ્ર તો પોતે જ જ્ઞાની અને સમીપ મુક્તિગામી જીવ છે. તેની ભક્તિ અનન્ય હોય છે. તું પણ તેવી ભક્તિની પ્રાપ્તિના ભાવ રાખજે. શૂલપાણિ પ્રત્યેનો મૈત્રીભાવ આત્મબળે સબળ ભગવાન સાધનામાર્ગે વાયુવેગે ધસી રહ્યા હતા. તેમનો માર્ગ ઉપસર્ગ અને વિઘ્નોથી ભરેલો હતો. અને તેમાં જાણે તેમણે શ્રેય જોયું હતું ? કોઈ અકળ સાહસ કરવા તેમને પ્રેરણા મળતી. એકવાર તેઓ શૂલપાણિ યક્ષના સ્થાને પહોંચી ગયા. ગામને સીમાડે ગામજનોએ તેમને વાર્યા, હે મુનિ એ મંદિરમાં કાળ વસે છે. આ સ્થાને ગયેલો માનવ મરણને શરણ થાય છે, પાછા ફરો. નિર્ભયતાને વરેલા મહાવી૨ મૌનપણે આગળ વધ્યા, અને યક્ષને સ્થાને જઈ ધ્યાનસ્થ થયા. દરેક કસોટીએ પાર ઊતરી મહાવીર સાધનાનાં શિખરો સર કરતા હતા. બહાર રાત્રિનો અંધકાર ચારે દિશાએ છવાઈ ગયો છે, ભગવાનના અંતરમાં અજવાળાં પથરાતાં હતા, ત્યાં તો અચાનક ભયંકર અટહાસ્યથી વાતાવરણમાં ભયાનકતા વ્યાપી ગઈ. પરંતુ ભગવાન તો યથાવત્ ધ્યાનસ્થ હતા. આ જોઈને શૂલપાણિ ભગવાનની નજીક આવ્યો. ઘણી કદર્થના કરવા લાગ્યો. ભગવાનની મુખમુદ્રા પરની અપાર સમતા જોઈ છેવટે તે શાંત પડ્યો. પ્રભુની ક્ષમા માગી પાપને પખાલી રહ્યો. જ હિતશિક્ષા : ભાઈ ! તને આવા ઉપસર્ગો થવાના નથી, કોઈ તારી કદર્થના કરતું નથી. તારા મનમાં ચાલતી ભુતાવળ જ તારો ઉપસર્ગ છે. કેવી હિતશિક્ષા ૮૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy