SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ - -- ------ મહાવીરે વિચાર્યું કે પોતાનું અહીં રહેવું તાપસોને વિકલ્પનું કારણ છે. આથી તેમણે ચોમાસાના પંદર દિવસ ત્યાં ગાળ્યા, પરંતુ અહીં રહેવું ઉચિત ન લાગતાં તેઓ ત્યાંથી સહજપણે વિહાર કરી ગયા. પણ તેમણે તે પ્રસંગોચિત કેટલાક સંકલ્પ કર્યા. ૧ અપ્રીતિ થાય ત્યાં રહેવું નહિ ૨ પ્રાયે મૌન જ રહેવું ૩ કરપાત્રી બનીને આહાર લેવો. ૪ ધ્યાનસ્થ રહેવું ૫ ગૃહસ્થનું અભિવાદન ન કરવું. શ્રમણ મહાવીર હવે સાધનાને મેદાને પડ્યા હતા. જે પરિસ્થિતિ નિર્માણ થાય તેમાંથી પોતે વિરક્ત થઈ, સમભાવે વિહરતા. તેમણે આહાર-નિદ્રા તો અતિ અલ્પ ર્યા હતાં. નિરંતર ધ્યાનની ધારામાં રહેવાનો નિયમ થઈ ચૂક્યો હતો. શs હિતશિક્ષા : જગતના જીવો ભગવાન મહાવીરની આવી ગૂઢતાને કેવી રીતે માપી શકે, મહેલના સુખનો ત્યાગી, ભલે વૈરાગી બન્યો, પણ આવાં કષ્ટોને સામે ચાલીને સહન કરવાની શી જરૂર, શું આવાં જંગલનાં કષ્ટો સહન કરે મોક્ષ મળે? ભાઈ ! મહાવીર જંગલમાં કષ્ટો સહન કરતા અને કરતાયે નહોતા. એમને તો દેહના મમત્વ અને અહંમત્વનું વિસર્જન કરવું હતું. દીર્ધકાળના જામેલા સંસ્કારોને ભસ્મીભૂત કરવા હતા. વિકલ્પોનું શમન કરવાનું હતું. અધિકરણોનો તો ત્યાગ કર્યો પણ ઉપકરણ ત્યજીને નિર્વસ્ત્ર અને કરપાત્રી બન્યા. દેહને કેવળ ધર્મનું અગ્રિમ સાધન બનાવ્યું હતું. શરીરને જરૂરી છતાં અલ્પ આહાર આપતા, જાણે શરીરે જ માંગ મૂકી દીધી હતી શું ? હે ચેતન ! તમે જાણો છો, આવું કેવી રીતે બની શકે. સંયમનો માર્ગ જ એનું સાધન છે. અનાસક્તિ એનું બળ છે. દીક્ષાકાળની શિક્ષા ભગવાને જાતે જ ગ્રહણ કરી હતી. કુલપતિનો આવાસ છોડ્યા પછી ૮૪ થી હિતશિક્ષા - - ----- --- - ---- wwwWWWWWWWWWWWWWW - ------------------- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy