SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ બન્યા. તે જ પળે તેમને મન:પર્યવ જ્ઞાન પ્રગટ થયું. ભગવાન સ્વયંબુદ્ધ હતા. જે કોઈ જ્ઞાન પ્રગટ થયાં તે તેમની સ્વતંત્ર શક્તિરૂપે હતાં. જો કે તેમાં પૂર્વની અનન્ય સાધનાનું બળ પ્રેરિત હતું. અંતિમ જન્મમાં તેઓ મહાપરાક્રમીપણે પ્રગટ થયા. કેટલાક પ્રસંગો દ્વારા તેમનું બાહ્ય પરાક્રમ જણાય છે. પરંતુ દીક્ષાકાળમાં તેમનાં પરાક્રમ અને પુરુષાર્થનું ક્ષેત્ર અંતર્જગત રહ્યું. વનવિહારની વાટે શું બન્યું? શ્રમણ મહાવીરે માગશર વદ દશમે સંસારનો ત્યાગ કરી વગડા તરફ પ્રયાણ કર્યું. તે દિવસો ઠંડીના હતા. તેમની પાસે એક ખેસ જેવું નાનું દેવ- દુષ્ય હતું. થોડા દિવસ પછી કોઈ ભૂદેવનું ભાગ્ય જાગ્યું હશે તે ભગવાન પાસે હાથ ધરીને ઊભો રહ્યો, ભગવાને અર્થે દેવદૂષ્ય તેને આપ્યું. આગળ જતાં અધું દેવદૂષ્ય કાંટામાં ભરાઈને વાડને વીંટળાઈ ગયું. મહાવીરે ગૃહ-વસ્ત્રાલંકાર તો ત્યજી દીધાં હતાં. એમના એવા ત્યાગને જોઈને દેવદૂષ્ય સ્વયં પોતે જ છૂટી ગયું કે શું ? પણ પેલા ભૂદેવનું ભાગ્ય બળવાન હશે, અધું વસ્ત્ર તેને માટે જ હશે, તેથી તે ભૂદેવને તેની પ્રાપ્તિ થઈ. તેનું દારિદ્ર દૂર થયું. ભાઈ તારાથી જગતની વસ્તુ છૂટવી મુશ્કેલ લાગતી હોય, તો તને જે છોડી દે તેનું તું વિસ્મરણ કરી દે છે, તો તારી ચિંતાઓ દૂર થશે. અને તારામાં સમતા પેદા થશે. માનવને મળેલી વિચારશક્તિને વિકસાવવાનો, શુદ્ધ થવાનો આ ઉપાય છે. નિર્વસ્ત્ર અવસ્થામાં ભગવાન જઈ રહ્યા હતા, શરીરને કંપાવનારી ઠંડી વાતાવરણને ઘેરી રહી હતી, પરંતુ ભગવાન તો અકંપ મુદ્રાએ ધ્યાનમગ્ન હતા, પૂર્વનાં સંચિત કર્મોને આજથી હવે આમંત્રણ મળી ચૂક્યું હતું, ભગવાન તેને માટે કટિબદ્ધ હતા, ગાત્રો ગળે તેવી ઠંડીમાં ધ્યાનમગ્ન ભગવાન પર શીતળ જળનો છંટકાવ થયો. એ શું હતું ? વાસુદેવના જન્મમાં ઘણી રાણીઓના સ્વામીએ એક રાણીને કંઈ દુઃખ ૮૨ હિતશિક્ષા - ૧ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy