SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ કરીને. કોઈવાર તો મહા પરિશ્રમ કરીને પાંચ બાળકોને ઉછેરનાર એક માને પાંચ બાળકો ભેગાં થઈને સાચવી શકતાં નથી. તેમની પાસે તે માટેનાં અનેક કારણો હોય છે, તે પલાયનવૃત્તિ છે. ભગવાનનો જીવ માનવપણે જગતના જીવોને ઉત્તમ શીખ આપે છે, કે તમે આવા સુપુત્ર બનજો. તમે કષ્ટ વેઠજો, પણ માતાપિતાને સાચવજો. તેમાં મહાપુણ્ય સમાયેલું છે. તેમાં રહેલો પ્રેમ અને વિનય તમારા ગૃહસ્થ જીવનના આદર્શો બનશે. તમને અને તમારી પ્રજાને સુખદાયી બનશે. જગતના અસત્ય પ્રવાહોમાં ખેંચાઈ ન જતા, આવા ઉત્તમ અવસરને જતો ન કરશો. ત્રિશલામાતાનો ઉદ્વેગ પણ કંઈ શીખવી જાય છે. એ ભલે મોહ કે રાગ રહ્યો. પણ જગતમાં જન્મ લેતા માનવ કે પશુના શિશુને જો વિશેષ આવશ્યક્તા હોય તો તે વાત્સલ્યની છે. તે ભલે રાગ મનાય. ગૃહસ્થ મુનિ નથી તે તેણે જે જે સમયે જે જે કાર્ય કરવાનાં છે તે ઉચિતપણે કરવાનાં છે. વિષયો પ્રત્યે સંયમ રાખે પણ બાળક તરફ મોહ રાખે તો તે દૃઢ બંધનકારી થતો નથી. બાળકને સંસ્કાર આપવા માટે જે વાત્સલ્ય જોઈએ છે, તે મોહનું નિર્દોષ સ્વરૂપ છે. ભગવાનનો જન્મ કેવો પુણ્યોદયરૂપ છે કે તે સમયે ચારે દિશાઓના જીવો સુખનો અનુભવ કરે છે. કારણ કે તેમનું જીવન સૃષ્ટિના જીવોના કે સુખોની ભાવનાથી ભરપૂર છે. તેમાં નિર્મળ પ્રેમનું ઝરણું વહેતું જ રહે છે. આપણા મનમાં દિવસમાં એકવાર પણ જગતના જીવો સુખ પામે તેવો વિચાર ઝબકતો નથી. ક્યાં આ કૃપણતા અને ક્યાં ભગવાનની કરુણા. એ કરુણાને પૂર્ણપણે પ્રગટ કરવા, પૂર્વભવમાં મુનિપણે રહી, સૂક્ષ્મ અતિસૂક્ષ્મપણે રહેલા જગતના જીવોથી માંડીને સર્વ જગતના જીવોની રક્ષાના ભાવનું પરિણામ આ પુણ્યપણે પ્રગટ થયું છે. એથી એમનો જન્મ થતાં જગતના સર્વ જીવોમાં સુખનો સંચાર થયો. રે માનવ ! તને કેવી અદ્ભુત વિચારશક્તિ મળી છે. જગતના ૬૪ * હિતશિક્ષા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy