SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ચારે દિશાઓમાં આનંદ મંગળ વર્તી રહ્યો. સૃષ્ટિમાં દશે દિશાએ સુખની વીજળી ચમકી ગઈ. આનંદોત્સવમાં બાર દિવસ પૂરા થયા. અને રાજાએ જ્યોતિષિઓને બોલાવ્યા. રાજમહેલ તો દિવસોથી દેશપરદેશ-રાજાઓ અને અતિથિઓથી ભરેલો હતો. અગાઉ નક્કી કર્યા પ્રમાણે બાળકનું નામ પાડ્યું, ‘વર્ધમાન’ અનામીપણે પ્રગટ થનાર શિશુ નામી થયો. લોકોએ વર્ધમાનનો જયજયકાર ર્યો, તેનું દીર્ઘાયુ ઇચ્છી સૌએ નામોત્સવ માણ્યો. રાજારાણીના હૈયામાં આનંદ સમાતો ન હતો. બાળને જોઈને તેમની ભાવનાઓ ઉત્તમ થતી જતી હતી. જીવનમાં જન્મના ક્રમ સાથે વયવૃદ્ધિ પામે છે. વર્ધમાન દેવો, અને માતાપિતાની કાળજીથી ઊછરવા લાગ્યા. ભલે ભાવિ ભગવાન પણ જગતના નિયમ પ્રમાણે એ બાળ માતાના ખોળામાં કૂદે છે, દોડે રમે છે, ઘૂઘરા વગાડે છે. અને સૌના મનરંજન કરે છે. ટીક હિતશિક્ષા : હે મહાનુભાવો ! તીર્થંકરનો જીવ માનવનો જીવ છે. પણ તે હકીકતને સામાન્ય ન ગણશો. અનાદિના ભવભ્રમણનવો અંત કરવાવાળો તે પવિત્રતમ આત્મા છે. દેવો પણ તેમના જન્મથી પોતાને ધન્ય માને, ઉત્સવ કરે તે કલ્પના ન સમજશો, એ જ પૂર્વના ઉત્તમ પુણ્યોની રાશિનો સંગ્રહ છે. તમે વિચારો કે ઉત્તમ જીવ જેના ઉદરમાં આવે છે તે જીવો કેવા સંયમી અને સાત્ત્વિક હોય છે ? તેમની દિનચર્યામાં પણ વિકૃતિ હોતી નથી. તેઓ સંસારી હોવાથી પુત્ર પ્રત્યે રાગ અને મોહ ધરાવે છે. છતાં સંયમને ચૂકતા નથી. જન્મ ધારણ કરનાર તીર્થંકરના જીવની મહાનતા કેવી કે ગર્ભમાં પણ ધ્યાનાવસ્થાનો અભ્યાસ કર્યો. અને વળી માતાને દુઃખ ન થાય તેવો આદર્શ કર્યો. આજના માનવપુત્રોને આ કેવું વિચારણીય દૃષ્ટાંત છે, કે ગર્ભમાં હોય ત્યારથી માતા પ્રત્યે આદર કરે છે, તે પ્રસંગ સૂચવે છે કે માતાનો ઉપકાર ન ભૂલશો. ઉજાગરા વેઠીને, સુખનો ત્યાગ હિતશિક્ષા ઃ ૬૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy