SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રિશલા પાસે આવ્યા. વૈદ્યોને બોલાવ્યા. રાજમહેલમાં જાણે સોપો પડી ગયો. સૌને અમંગળ જણાવા લાગ્યું. ત્યાં તો ગર્ભના બાળકે અવધિજ્ઞાનમાં જોયું કે માતાને દુ:ખ ન પહોંચે તેથી મેં હલનચલન બંધ કર્યું. પરંતુ અહો ! મારા હલનચલનની ક્રિયા બંધ થવાથી માતાને મોહવશ દુ:ખ પહોંચ્યું છે. અને તેમણે જાણે ધ્યાનદશા છોડીને હલનચલન શરૂ કર્યું. ત્રિશલા રાણી એકાએક આનંદમાં આવી ગયાં. તેમણે જાહેર કર્યું કે તેમનો ગર્ભ કુશળ છે. આખું રાજકુળ માતાને જાળવે છે. રાજા તેમને સર્વ પ્રકારે પ્રસન્ન રાખે છે. માતાનો પ્રથમ અત્યંત ઉદ્વેગ અને પછીનો હર્ષ જોઈ ભાવી તીર્થંકરના જીવને થયું કે અહો, જગતમાં રાગ અને ઉદ્વેગનું ચક્ર કેવું વિચિત્ર છે. આ માતાને મારા પ્રત્યે કેવો અનુરાગ છે ! માતાપિતાને ધર્મ પમાડીને ભવચક્રના આ રાગદ્વેષના દુઃખરૂપી દ્વંદ્રમાંથી મુક્ત કરીને પછી મારે સંસારનો ત્યાગ કરવો. જગતગુરુનો જન્મ સમયનું વહેણ વહ્યું જાય છે. જન્મમરણની ફાળ વણથંભી કાળને વશ વર્તે છે. ગર્ભકાળ પૂરો થતાં ચૈત્ર સુદી તેરસે જ્યારે સર્વ દિશાઓ પ્રકાશથી ઉજ્જ્વળ હતી, વાતાવરણ સુરમ્ય હતું, વાયુ મંદ ગતિએ વાઈ રહ્યો હતો, વન-ઉપવનો પુષ્પો અને ફળફૂલથી મહેકી ઉઠ્યાં હતાં, સરિતા અને સરોવરોનાં જળ કિલ્લોલ કરી રહ્યાં હતાં, ત્યાં શાંત મધ્યરાત્રીએ એ શિશુનો જન્મ થયો. જાણે હીરાની ખાણમાં કોહીનૂરનું તેજ ચમકી ઊઠે તેમ પ્રભુએ સંસારમાં જન્મ લીધો. તે સમયે છપ્પન દિકુમારીઓનાં સ્થાનો કંપિત થયાં. ધરતી પર તીર્થંકરના જીવનું અવતરણ એ પવિત્રતમ રહસ્ય છે. પુણ્યના અતિશયની એ પ્રણાલિ છે. તેમનાં કાર્યો માટે દેવદેવીઓ આનંદ અનુભવે છે. છપ્પન દિકુમારીઓ દેવલોકનાં સુખ છોડીને ધરતી પર ઊતરી આવી, અને તેમણે સૂતિકાકર્મ કર્યું. વળી ઇન્દ્રરાજ સૌધર્મનું સિંહાસન કંપી ઊઠ્યું. તેમણે અવધિના હિતશિક્ષા ૬૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy