SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ અને મેરુપર્વત જેવો રત્નરાશિ જોયો. ૧૪. અંતમાં તે સ્વામી, ચોદમા સ્વપ્ન મેં ધુમાડા રહિત ઉજ્વળ અગ્નિશિખા જોઈ.” એકાગ્ર ચિત્તે સ્વપ્નદર્શનનું વર્ણન રાણીને મુખેથી સાંભળી રાજા પ્રસન્ન થયા. તેમની સમજમાં આવ્યું કે રાણીના ઉદરમાં કોઈ ઉત્તમ જીવ ધારણ થયો છે. તેમણે કહ્યું કે “હે પ્રિયા ! તમે જે સ્વપ્ન જોયાં તે સૂચવે કે તમારા ઉદરમાં ઉત્તમ કુળદીપક પુત્ર ધારણ થયો છે. વળી રાજ્યમાં અને પરિવારમાં ઘણો લાભ થશે તેમ આ સ્વપ્નો સૂચવે છે.” રાણી રાજાનાં વચન સાંભળી આનંદિત થઈને પતિની રજા લઈ મંદગતિએ પોતાના શયાભવનમાં આવી. મંગળકારી સ્વપ્નના ભાવમાં જાગૃતપણે બાકીની રાત્રિ પૂર્ણ કરી. રાજાએ પ્રભાતે સ્વપ્ન પાઠકોને તેડાવ્યા. સ્વપ્નદર્શનનું શ્રવણ કરી સ્વપ્નપાઠકો આશ્ચર્ય પામ્યા. તેમણે જાહેર કર્યું કે ત્રિશલારાણીની કૂખે ધર્મચક્રી જન્મ લેશે. જ હિતશિક્ષા : સમીપમુક્તિગામી જીવોની જીવનચર્યાની પદ્ધતિ પણ કેવી આનંદદાયક હોય છે ! ધર્મમાર્ગે જીવાતા જીવનમાં પ્રસંગોની પણ કેવી નિર્દોષતા હોય છે ! પતિ - પત્નીના જીવનમાં સંવાદિતા કેવી હોય છે. તેમનું હળવું-મળવું વાર્તાલાપ પણ કેવા સુખદાયક હોય છે ? અન્યોન્ય વિનય કેવો સચવાય છે ? અને તેથી તેમનો આ સ્નેહ સાત્ત્વિકતામાં પરિણમી સ્વની ઉન્નતિમાં સહાયક બને છે. ગૃહસ્થનું જીવન રાગદ્વેષના વિષચક્રયુક્ત હોય છે, તો તેનો અંજામ પણ કરુણ આવે છે, વર્તમાન જીવનમાં પણ દુઃખ, અને પરલોકમાં શું થશે તે માત્ર જ્ઞાની જ જાણી શકે. સુખની આકાંક્ષાથી જોડાતા જીવો ક્યા કારણસર દુઃખ વહોરી લેતા હશે ? શું દુઃખની ખંજવાળ આવતી હશે; કે ખસના દર્દીની જેમ વળી વળી તેમનું મન દુઃખ તરફ ખેંચાતું હશે? એના મૂળમાં અજ્ઞાન છે. અને અજ્ઞાન એટલે મુખઈ, કે જોઈએ હિતશિક્ષા થી ૫૯ છોકરા ના કરનારા કાકા છોકરા ના મોત ને કાકા કરવાના કામ કરવામાં ન આવતા વલસાડ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy