SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ અને પૂર્વે મેં તિર્યંચસંબંધી, મનુષ્ય સંબંધી કે દેવસંબંધી મૈથુન મનથી, વચનથી. કે કાયાથી સેવ્યું હોય તે ત્રિવિધ ત્રિવિધ વોસિરાવું છું. લોભના દોષથી ઘન ધાન્ય અને પશુ વગેરે બહુ પ્રકારનો પરિગ્રહ મેં પૂર્વે ધારણ કર્યો હોય તેને મન, વચન, કાયાથી વોસરાવું છું. પુત્ર, સ્ત્રી, મિત્ર, ધન, ધાન્ય ગૃહ અને બીજા જે કોઈ પદાર્થમાં મને મમતા રહેલી હોય તે સર્વને હું વીસરાવું છું. ઇન્દ્રિયોથી પરાભવ પામીને મેં રાત્રે ચતુર્વિધ આહાર કર્યો હોય તેને પણ હું મન, વચન અને કાયાથી નિંદું છું. ક્રોધ, લોભ, રોગ, દ્વેષ, કલહ,પિશુનતા, પરનિંદા, અભ્યાખાન અને બીજું જે કાંઈ ચરિત્રાચાર વિષે દુષ્ટ આચરણ કર્યું હોય તેને હું મન, વચન, કાયાથી વોસરાવું બાહ્ય કે અત્યંતર તપસ્યા કરતાં મને મન, વચન, કાયાથી જે અતિચાર લાગ્યો હોય તેને હું મન, વચન, કાયાએ નિંદું છું. ધર્મના અનુષ્ઠાનમાં મેં જે કંઈ વીર્ય ગોપવ્યું હોય તે વર્યાચારના અતિચારને પણ હું મન, વચન, કાયાએ કરી નિંદું છું. મેં કોઈને માર્યો હોય દુષ્ટ વચન કહ્યાં હોય, કોઈનું કંઈ હરી લીધું હોય અથવા કંઈ અપકાર કર્યો હોય તો તે સર્વે મારા પર ક્ષમા કરજો. જે કોઈ મારા મિત્ર કે શત્રુ, સ્વજન, કે પરજન હોય તે સર્વ મને ક્ષમા કરજો, હું હવે સર્વમાં સમાન બુદ્ધિવાળો છું. તિર્યચપણામાં જે તિર્યંચો, નારકીપણામાં જે નારકીઓ. દેવપણામાં જે દેવતાઓ અને મનુષ્યપણામાં જે મનુષ્યોને મેં દુઃખી ક્ય હોય તેઓ સર્વ મને ક્ષમા કરજો. હું તેમને ખમાવું છું. અને હવે મારે તે સર્વની સાથે મૈત્રી છે. જીવિત, યૌવન, લક્ષ્મી, રૂપ અને પ્રિય સમાગમ-એ સર્વે વાયુએ નચાવેલા સમુદ્રના તરંગની જેવા ચપલ છે. વ્યાધિ, જન્મ, જરા અને મૃત્યુથી ગ્રસ્ત થયેલાં પ્રાણીઓને શ્રી જિનોદિત ઘર્મ વિના આ સંસારમાં બીજું કોઈ શરણ નથી. | સર્વે જીવો સ્વજન પણ થયેલા છે અને પરજન પણ થયેલા છે. ૫૦ ર હિતશિક્ષા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy