SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ તેમના નામ અને જનક મુનિ ધર્મમાં પ્રગટ થયો. અને નંદનમુનિએ માસક્ષમણને પારણે માસ ક્ષમણના તપનો અભિગ્રહ ધારણ કર્યો. તપ સાથે જ્ઞાનની અદ્ભુત આરાધના થતી રહી. તપનું તેજ અને જ્ઞાનનું બળ તેમની ભાવનાઓને પુષ્ટ કરતું ગયું. સર્વ જીવો પ્રત્યે અનુકંપાભાવ ઉત્કટપણે સધાતો ગયો. અને એ જીવના પ્રદેશ પ્રદેશે પોકાર થયો. કે સવિ જીવ કરું શાસન રસી’ વળી આ ભાવનાને યોગ્ય વિશ સ્થાનકપદની ઉપાસના ઉત્કૃષ્ટપણે થઈ. અને એ જીવે ત્યારે તીર્થંકર નામકર્મને ઉપાર્જન કર્યું. તેમાં કંઈ સુખભોગની ભાવના ન હતી, પણ જગતજીવો પોતે જે પરમાર્થનું સુખ પામ્યા તેવું સુખ પામે તેવો કરુણાભાવ હતો. નંદનમુનિનાં તપ, ત્યાગ જ્ઞાન અને વૈરાગ્ય તો એ જ ભવમાં મુક્તિને પમાડે તેવાં હતાં. પરંતુ હજી મુક્તિના કાર્યમાં કંઈક ખૂટતું હતું! મુનિએ દીક્ષા અવસ્થાનાં એક લાખ વર્ષની સાધના કરી ઉપસર્ગોને સહન કરી, પરિષદોને જીતી લીધા. સર્વ જીવો પ્રત્યે ક્ષમાભાવ ધારણ કરી, પંચપરમેષ્ટિના સ્મરણ દ્વારા સ્વાત્મામાં સ્થિર થઈ સમાધિમરણ પામી દેવલોકમાં ઉત્પન્ન થયા. નંદન મુનિની અંતિમ ભાવના : “કાળ અને વિનય વગેર જે આઠ પ્રકારનો જ્ઞાનાચાર કહેલો છે, તેમાં મને જો કોઈ પણ અતિચાર લાગ્યો હોય તો તેને મન, વચન, કાયાથી હું નિંદું છું. નિઃશક્તિ વગેરે જે આઠ પ્રકારનો દર્શનાચાર કહ્યો છે, તેમાં જો કોઈ પણ અતિચાર થયો હોય તો તેને હું મન, વચન, કાયાએ કરી વોસરાવું છું, લોભથી કે મોહથી મેં પ્રાણીઓની સૂક્ષ્મ કે બાદર જે હિંસા કરી. હોય તેને મન, વચન, કાયાથી વોસરાવું છું. હાસ્ય, ભય, ક્રોધ અને લોભ વગેરેથી મેં મૃષા ભાષણ કર્યું હોય તે સર્વ નિંદું છું. અને તેનું પ્રાયશ્ચિત્ત આચરું છું. રાગ, દ્વેષથી થોડું કે ઘણું જે કંઈ અદત્ત પરદ્રવ્ય લીધું હોય તે સર્વને વોસરાવું છું. હિતશિક્ષા ૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy