SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ નાના મોટા અસંખ્ય ભવ કરી ; દુ:ખને ભોગવતો અકામ નિર્જરા કરતો ક્યારે વળી માનવ જન્મ પામે છે. “અનાદિ, નિગોદ તે, બંધીખાને તૃષ્ણા તોપે રાખ્યો. સંજ્ઞા ચારે ચોકી મેલી, વેદ નપુંસક વાક્યો, ભવસ્થિતિ કર્મ વિવર લઈ નાઠો. પુણ્ય ઉદય પણ લાધ્યો સ્થાવર વિલેન્દ્રિયપણું ઓળંગી પંચેન્દ્રિયપણું વાધ્યો. માનવદેહ આરજ કુળ વિમળ બોધ મળ્યો તુજને ક્રોધાદિક સૌ શત્રુ વિમાસી તેણે ઓળખાવ્યો મુજને.” સમજ્યો ભાઈ? તારી સંસાર યાત્રા આવી છે. કોઈ મહાપુણ્ય માનવદેહ મળ્યો, ઉત્તમ નિમિત્તો મળે, તારો સ્વપુરુષાર્થ જાગે, પછી સંસારયાત્રા ટૂંકી થાય છે. ત્યાર પછી તેને જે સુખ મળે છે તે કેવું છે? સાદિ અનંત અનંત સમાધિ સુખમાં. 29: 58:28ES? Eી ભવ બાવીસમો : રાજકુમાર વિમળકમાર નાના નાના નાના ખનન નનનનન માતાના ખાતાના પ ભવ ૨૧માં નરકમાંથી નીકળ્યા પછી ઘણા શુદ્ર ભવોનું પરિભ્રમણ કરીને તે જીવ રથપુર નામના નગરના પ્રિય મિત્ર રાજાની વિમલા નામની રાણીની કુક્ષીએ પુત્રપણે ઉત્પન્ન થયો. તેનું નામ વિમલકુમાર પાડવામાં આવ્યું. રાજવૈભવમાં ઊછરતો વિમલ યોગાનુયોગ ગુણસંપન્ન હતો. જો કે રાજવૈભવની છોળોમાં ગુણસંપન્નતા ટકાવવી એ પણ ભાગ્યોદય છે. આ જીવની હવે સંસારયાત્રા સંક્ષેપ થઈ હતી, તેથી અને ભાવિની ઉજ્વળતાને કારણે વિમલ રાજવૈભવના સુખમાં પણ સજાગ હતો. તેનામાં વાત્સલ્ય કે કરુણતાનું ઝરણું નિરંતર વહેતું રહેતું. એક દિવસની એ વાત છે ; પોતે મિત્રો સાથે વનવિહાર ગયો હતો. ક્ષત્રિય રાજકુમાર છતાં શિકાર કરતો નહિ. નિર્દોષ વિહાર કરી ૧ ૪૨ ૪ હિતશિક્ષા | પર કલાકાર રાજાના નામ પર જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy