SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ મામા - - ટ - - - - - - - - -- -- - - - - - - sinessweenતન તતાના . કર કામ તમામ ર છે. પાંચમી નરકમાં સર્પ ઊપજે છે. છઠ્ઠી નરકમાં સ્ત્રી ઊપજે છે. સાતમી નરકમાં મનુષ્ય (પુરુષ) મોટા મત્સ્ય ઊપજે છે. * હિતશિક્ષા : જ્ઞાનીજનો કહે છે કે ભાઈ ! તું ભલે જાણતો ન હોય પણ તારા જીવમાં અજ્ઞાનવશ જે અપકૃત્યો તે નિર્ભયપણે રહીને સેવે છે, ત્યારે કર્મ અંધારામાં રહેતું નથી. એક પળના પણ વિલંબરહિત તે જડ પરમાણુ તને ઘેરી લે છે. અને કેવા ભયંકર દુખદાયક સ્થાનોમાં જીવને ધકેલી દે છે? આમ તો તું સિદ્ધલોકનો સ્વામી, પરંતુ બહારનાં સુખોને પોતાનાં કરવા મથીને શું મેળવે છે ? હે ભવ્યજીવો! વિચારજો ખૂબ વિચારજો કે તમારે પરિશ્રમ કરવો છે તો સાચા માર્ગનો કેમ કરતા નથી? તમને કોણ રોકે છે ! તમારો વિવેક ક્યાં જાય છે ! આ કાયારૂપી પિંજરમાં તું માયાને જ તારા પ્રાણ માને છે. અને મોહબંધનથી ઘેરાઈ જાય છે. એકવાર અંતરમાં ડૂબકી માર કે મારે ગમે તેમ પણ છૂટવું છે. આવાં દુઃખો ભોગવી તું શું મેળવે છે? જ્યાં એક પળ માટે પણ સુખ નથી. સૃષ્ટિના સર્વ જીવોને જિજિવિષા હોય છે. પણ કહે છે કે અહીં એવાં દુઃખો હોય છે, કે જ્યાં જીવ એક પળ માટે પણ જીવવા ઇચ્છતો નથી. તો પણ ત્યાં પ્રકૃતિવશ તેના પરિણામમાં સુધરતો નથી. પણ ત્યાંથી છૂટેલો જીવ વળી ભૂલી જાય છે કે કેવાં દુઃખો ભોગવ્યાં હતાં કેવી વિચિત્રતા છે કે દુ:ખોથી છૂટવાનું ઇચ્છવા છતાં દુઃખને જ ભોગવે છે ! આશ્ચર્ય એ છે કે એક બાજુ આવાં સહેલાં દુઃખોનું વિસ્મરણ થઈ જાય છે. તો બીજી બાજુ માનવદેહ જેવા જન્મમાં જીવનવિકાસના સાધનો મળવા છતાં આત્મસ્વરૂપનું જ વિસ્મરણ થઈ જાય છે. તેથી ક્ષણે ક્ષણે આત્મગુણોનો ઘાત કરતો જીવ દુર્લભતાએ પામેલા જીવનને વ્યર્થ ગુમાવે છે. વળી નરકમાંથી બહાર નીકળેલો જીવ મોટે ભાગે તો તિર્યંચના હિતશિક્ષા જ ૪૧ મચાવનારા કમર ક - -માલ - - - - - - - - - ક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy