SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ નાશ કર્યો છે તે તો નારકી મટીને તિર્યંચપણે જન્મી, વળી જંતુ કે અન્ય પશુ જેવા અસંખ્ય નાનામોટા ભવ કરીને વળી અતિ દીર્ઘકાળે માનવજન્મ પામે છે. વીસમા ભવમાં તે જીવ નારકીનું આયુષ્યકર્મ પૂર્ણ કરી જંગલમાં વિકરાળ સિંહપણે ઉત્પન્ન થઈ, સ્વચ્છંદે વિહરવા લાગ્યો. સત્તામદમાં છકેલી અહમ્ની પ્રકૃતિના અંશો હજી શેષ રહ્યા હતા; તેમાં સિંહની આકૃતિ મળી. જંગલમાં પશુ, પણ જંગલનો બળવાન રાજા, અરે ! જીવને કોણ શિખવાડે છે કે તારામાં આવું બળ છે. અને કોણ ભુલાવે છે તારું આત્મસામર્થ્ય શું છે ? જેવી આકૃતિ તેવી પ્રકૃતિ ? ત્યાં કોણ બચાવશે કેવળ આધ્યાત્મ સંસ્કૃતજ ધર્મનું શરણ જ જીવને બચાવી શકે છે. અજ્ઞાનવશ જીવ સ્વરૂપ પ્રત્યે સત્પુરુષાર્થમાં ઝૂકતો નથી. જેને કારણે મળેલા યોગ પણ અફળ થાય છે. ભવ એકવીસમો : ચોથી નરકમાં એ જીવ સિંહપણે હિંસકભાવને પોષતો વળી પુનઃ નીચ કર્મ બાંધતો આયુષ્ય પૂર્ણ કરીને ચોથી નરકે પહોંચી ગયો. કર્મની વિચિત્રતા કેવી ભયાનક છે અને કેવા નિયમથી ચાલે છે તે જાણા છો ? એ સ્થાને પહોંચવામાં સામાન્ય રીતે આવું કથન જ્ઞાનીઓએ કરેલું છે. ચોથી નરકનું નામ છે પંકપ્રભા આ પૃથ્વી કેવળ કાદવથી જ ભરેલી છે. વિચારો કે તમારે રહેવું કાદવમાં, ખાવું કાદવમાં કે પૂરી જિંદગી કાદવમાં ગાળવાની હોય તો શું થાય ? દસ સાગરોપમના આયુષ્ય સુધી આ જ દશા ભોગવવાની હોય છે. જો પરિણામમાં ક્રૂરતા આવે તો નીચે ક્યાં સુધી જીવ જાય છે, તેનું સામાન્ય કથન છે. પહેલી નરકમાં અસંશી પર્યાપ્ત તિર્યંચ પંચેદ્રિય ઊપજે છે. બીજી નરકમાં ગર્ભજ ભુજ પરિસર્પ ઊપજે છે. ત્રીજી નકમાં પક્ષી ઊપજે છે. ચોથી નરકમાં સિંહ ઊપજે ૪૦ ૪ હિતશિક્ષા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy