SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ભીંતમાં ગંદા પદાર્થોની કુંભમાં થાય છે, કુંભીનું મુખ સાંકડું હોવાથી અન્ય નારકીઓ તેમને કાપીને કાઢે છે. આ ભૂમિ અત્યંત મલિન પદાર્થોથી ખરડાયેલી હોય છે. તે ભૂમિના રસ અત્યંત કડવા હોય છે. સ્પર્શ અધિક ઉષ્ણ અને દંશ જેવો અત્યંત પીડાકારી હોય છે. શરીર તો વૈક્રિય છે પણ અત્યંત દુર્ગંધવાળું હોય છે. તે જીવોની સુઘા-તૃષા તીવ્ર હોય છે પણ તે શમતી નથી. તેઓને શરીરે નિરંતર ખણજ આવે n કકકકકનનનન નનનનન નાહવાહes dependence આટલું દુઃખ થોડું હોય તેમ જાણે ત્રણ નારકી સુધી તો અત્યંત ઠંડી હોય છે. છેલ્લી ગણમાં અત્યંત કલ્પનાતીત ગરમી હોય છે. તેમાં શેકાઈ જાય છતાં તેઓ મરણ પામતા નથી. કપાઈ ટુકડા થાય તો પણ શરીર પારાની જેમ જોડાઈ જાય છે. હિતશિક્ષા : ભલે એ અર્ધચક્રી હતો. વાસુદેવના બધાં જ ભૌતિક સુખોનો તે સ્વામી હતો. કર્મ બાંધ્યાં ત્યારે સત્તામદ હતો. તેને કર્મની પરવા ન હતી, જગતમાં ધર્મને કાલ્પનિક વસ્તુ માનનાર કર્મનો સ્વીકાર કરતાં નથી. કર્મ જાણે ભય બતાવવા માટે ઊભું કરેલું કોઈ કાલ્પનિક તૂત છે, એમ જીવો જાણે છે. પરંતુ તે અજ્ઞાની જીવો જાણતા નથી, કે અજ્ઞાનવશ ઊભું કરેલું કર્મ ઉદયમાં આવે, ત્યારે ચક્રીપણું કે સત્તાનાં સાધનો સમાપ્ત થઈ ગયાં હોય છે. અને એ સુખ તો કેવળ સ્વપ્નવત્ બની જાય છે. ભગવાન મહાવીરના જીવે એક સમયે સમ્યકજ્ઞાન પ્રાપ્ત કર્યું. પણ એ મહામૂલા તત્ત્વને સાચવવા માટે જે જાગૃતિ કે ભવિતવ્યતા જોઈએ તે ચુકાઈ ગઈ. યોગ્ય નિમિત્તો હોવા છતાં ઉપાદાનની શક્તિ અવળે પાટે ચઢી ગઈ, પછી તે જીવ પડતો, આખડતો ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ ભોગવતો પરિભ્રમણ કરતો રહ્યો. વળી માનવ અહમૂના નશામાં સઘળી બુદ્ધિમત્તા ગુમાવીને ભારે નિકાચિત કર્મબંધને ગ્રહણ કરે છે. પરિણામે સાતમી નરકમાં ધકેલાઈ ૩૮ ૪ હિતશિક્ષા તow * તતતત * * જગ જ છે 0000000000 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy