SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ પોતનપુર મોકલ્યો. તે સમયે રાજસભામાં નાચગાનનો જલસો ચાલી રહ્યો હતો, અને રાજસભા તે જોવામાં મસ્ત હતી, ત્યાં ચંડવેગે સભામાં પ્રેવશ કર્યો. અને તેણે અશ્વગ્રીવરાજાનો જયઘોષ કર્યો. પ્રજાપતિ રાજા અશ્વગ્રીવના બળને જાણતો હતો. નાચગાનના કાર્યક્રમમાં રંગમાં ભંગ પડ્યો. પ્રજાપતિ ઊઠ્યો અને તેણે રાજદૂતનું સ્વાગત કર્યું. અચલ કે ત્રિપૃષ્ઠ રાજદૂતને ઓળખતા ન હતા, અને મંત્રીએ જ્યારે તેને સમજાવ્યો ત્યારે પણ તેને લાગ્યું કે આ રાજદૂતે કાર્યક્રમમાં ભંગ પાડ્યો છે માટે સજાને યોગ્ય છે; પણ મંત્રીના કહેવાથી તે ત્યારે શાંત રહ્યો. રાજદૂતને માનસન્માન સાથે વિદાય કરવામાં આવ્યો. ત્રિપૃષ્ઠના મનમાં હજી પેલો આવેશ શમ્યો ન હતો. તેણે પિતાને અજાણ રાખી રાજદૂતને માર્ગમાં જ પડકાર્યો, અને અપશબ્દ સંભળાવ્યા. પોતાની વજ્રમુષ્ટિ વડે ચંડવેગને ઘા કરવા ગયો. પરંતુ અચલ જે નીતિમાન હતો, તેણે ત્રિપૃષ્ઠને વાર્યો, છતાં આવેશભર્યો તે શાંત તો ન થયો. તેણે ચંડવેગને જીવતો છોડ્યો પણ તેના તમામ સાથીઓને લૂંટી લીધા, અને ફક્ત પહેરેલે કપડે સૌ રતનપુર પહોંચ્યા. પ્રજાપતિને ત્રિપૃષ્ઠના આ કાર્યની ખબર મળતાં તે મૂંઝાયો. કારણ કે તે જાણતો હતો આનું પરિણામ પરાક્રમી અશ્વગ્રીવને યુદ્ધનું આમંત્રણ આપવા જેવું આવશે. વળી આ સમાચાર અશ્વગ્રીવને મળ્યા. તેના મનમાં નિમિત્તિકે ભાખેલા ભાવિનો ભયાનક ભય હતો. આથી ત્રિપૃષ્ઠનો નાશ થાય તો ભય નાશ પામે. તેવા આશયથી તેણે નિમિત્તિકે બતાવેલો બીજો ઉપાય હાથ ધર્યો. અશ્વગ્રીવે પ્રજાપતિને આદેશ મોકલ્યો કે તમારે શાલિક્ષેત્રમાં ફરતા વનરાજથી એ પ્રદેશનું રક્ષણ કરવાનું છે. આ સમાચાર સાંભળી પરિસ્થિતિની ગંભીરતા પ્રજાપતિ સમજી ગયો. તેણે ત્રિપૃષ્ઠને કહ્યું કે, ૩૦ ૪ હિતશિક્ષા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy