SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ તારા - રામના નાના નાના “જો તારા અવિચારી કાર્યનું પરિણામ ! હવે મારે પેલા જીવતા સિંહની બોડમાં હાથ નાંખવાનો છે.” અચલ અને ત્રિપૃષ્ઠ પણ મહા બળવાન હતા. તેમણે પિતાજીને કહ્યું કે “આપ નિશ્ચિત રહો અમને સિહની બોડમાં જવા દો.” અશ્વગ્રીવને સમાચાર પહોંચ્યા કે પ્રજાપતિને બદલે બે રાજકુમાર આવે છે. તેણે વિચાર્યું કે મારી ભવિષ્યવાણી સાચી કે નહિ તેનું નિરાકરણ થશે. જો સિંહ મરશે તો તે શાલિક્ષેત્ર નિર્ભય થશે. અને ત્રિપૃષ્ઠ મરશે તો વળી પોતાનો પ્રતિસ્પર્ધી વગર યુદ્ધ હણાશે. અચલ અને ત્રિપુષ્ઠ રથમાં બેસીને સૈન્ય સાથે શાલિક્ષેત્રમાં આવી પહોંચ્યા. સૈન્યને થોડે દૂર રાખી તેઓ સિંહની ગુફા તરફ જવા લાગ્યા. માર્ગમાં તેમણે જોયું કે માણસોનાં હાડકાંના જ્યાંત્યાં ઢગલા પડ્યા હતા. વાતાવરણ ગંભીર લાગતું હતું. પરંતુ આ બંને રાજકુમારો તો મહાપરાક્રમી હતા. તેઓ તદ્દન સિંહની નજીક આવી પહોંચ્યા છતાં સિંહ તો પોતાની જગાએ પડ્યો રહ્યો. પંરતુ જ્યારે ત્રિપૃષ્ઠ તદ્દન નજીક આવીને તેની સામે પડકાર કર્યો. ત્યારે સિંહ પણ પોતાની ડોક ઊંચી કરી ઊભો થયો. અને રથની સામે ગયો. તે વખતે ત્રિપૃષ્ઠ પણ રથમાંથી નીચે ઊતર્યો. તેણે વિચાર્યું સિંહ વાહન વગરનો છે માટે પોતે પણ વાહનનો ત્યાગ કરવો, સિંહ એકલો છે તેથી પોતે પણ અચલને રથમાં બેસવા કહ્યું. વળી સિંહ નિશસ્ત્ર હોવાથી પોતે પણ શસ્ત્રનો ત્યાગ કર્યો. સિંહે જોયું કે આવી રીતે નિઃશસ્ત્ર માનવ તેની સામે પ્રથમ જ વાર ઊભો છે. તેણે એક મોટી ત્રાડ પાડી, ત્યારે જંગલનાં પશુપક્ષીઓ ધ્રુજી ઊઠ્યાં, નાનાં જંતુઓના તો પ્રાણ જ હરાઈ ગયા. અને જ્યારે તેણે યુવાન તરફ યુદ્ધ માટે પોતાનું પૂંછડું પછાડ્યું ત્યારે ઝાડપાન પણ ધ્રૂજી ઊઠ્યાં. ત્રિપૃષ્ઠ પણ મોટા અવાજે વળતો જવાબ આપ્યો કે તે વનરાજ આજે તારે બળિયા સાથે બાથ ભીડવાની છે. તારા પરાક્રમની આજે કસોટી છે. હિતશિક્ષા # ૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy