SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ wwwwwwwwwww માનવજન્મ મળ્યા પછી તે ચૂકવેલું મૂલ્ય વિસ્તૃત થઈ જાય છે. અને મુક્તિના નિમિત્તમાં દ્વાર સમું માનવખોળિયું એળે જાય છે. માનવજન્મ મેળવતાં પહેલાં ચૂધેલું મૂલ્ય જાણો છો ? એક શ્વાસમાં સત્તર વખત જન્મમરણ કરી નિગોદમાંથી બહાર નીકળ્યો. પછી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બાદર નિગોદ જેવાં સ્થાનોમાં એક એક યોનિમાં અનંતવાર જન્મમરણ કર્યા. તેમાં દબાયો, ચંપાયો. શેકાયો, ઘણાં દુઃખ પામ્યો. આટલી કિંમત ચૂકવ્યા પછી બે ઇન્દ્રિયપણું પામ્યો, ત્યાં કેટલી પરવશતા ? અને મૂકપણે કેવળ દુઃખ જ સહેવાનાં. ત્યાંથી ધક્કે ધક્કે ત્રણ ઇન્દ્રિય પામ્યો. ત્યાં પણ આજ કાળમાં ઔષધ જેવા પદાર્થો માટે તારો અને લાખોની સંખ્યામાં રહેલા તારા જેવા જીવોનો એક ક્ષણમાં કચ્ચરઘાણ નીકળી ગયો. તે જ પ્રમાણે ચાર ઈન્દ્રિયો પામ્યો ત્યારે દુ:ખ ભોગવ્યાં. પછી તિર્યંચ પંચેન્દ્રિપણું પામ્યો. મત્સ્યગલન્યાયે ત્યાં પણ સબળ પ્રાણીઓ વડે હણાયો. અને માનવો દ્વારા પણ પીડા પામ્યો. હળે જોતરાયો. ઊંટ થઈને બાવળિયા આરોગ્યા. સિંહ થયો પણ પાંજરે પુરાયો. પક્ષી થઈ પાંજરે પુરાયો, બળદ થઈને કતલખાને પહોંચ્યો. જીવ આવાં ઘણાં દુઃખો પામ્યો. કેટલાયે કાળે માનવજન્મ પામ્યો, તેમાં હલકાં કૂળ પામી ધર્મવિહીન જન્મો એળે ગયા. કોઈ પુણ્યયોગે હવે અહીં સુધી પહોંચ્યો. પુનઃ આવું મેળવતાં વળી આવી જ દશા થશે. માટે મળેલા જન્મને સંયમને માર્ગે વાળી સુખી થવું. કરવા ભવ સોળમો : વિશ્વભૂતિ રાજકુમાર પરમાર્થમાર્ગમાં જાતિવેશનો ભેદ નથી. વળી, કોઈ કુળ હલકું કે ઊચું નથી. પણ જગતની વ્યવસ્થામાં કર્યજનિત આવા ભેદ છે. બ્રાહ્મણકુળ હલકું અને ક્ષત્રિયકુળ ઊંચું એવો ભેદ કેવળ પ્રકૃતિની અપેક્ષાએ છે. ૨૨ ૪ હિતશિક્ષા રાજા ના રાજા કરાવવાની અરજી નામ જ કામ રક છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy