SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ વાલમાં રાજકારણ અને પાર કરી ના -- વંદન તમારામાં રહેલા ભગવાન મહાવીરના પદને છે. તમે તીર્થંકરપદે પ્રગટ થશો ત્યારે આ આત્મા વંદન કરવાને ભાગ્યશાળી નહિ બને, તેથી આજે જ તમને વંદન કરીને ભાગ્યશાળી થાઉં છું. ધન્ય છે તમારા આત્માને કે જે જગતના કલ્યાણનું મહાન નિમિત્ત થશે. ભાવિ તીર્થકરના આત્માને વંદન કરી હું ધન્ય થયો છું.” ભરત ચક્રવર્તી ભાવિ તીર્થંકરના આત્માને વંદન કરી વિદાય થયા! પણ ભાવિના પેટાળમાં શું ભર્યું છે, તેનાં રહસ્ય કેવાં ગૂઢ છે, તે સામાન્ય માનવી કળી શકતો નથી. ભરત ચક્રવર્તીની ભાવના ઉત્કૃષ્ટ હતી; પણ મરિચિ તો ભાવિના એ કથનને, તેમાં છુપાયેલી ઋદ્ધિને, ચક્રવર્તી આદિ પદના ઐશ્વર્યમાત્રના સ્વપ્નમાં જ મૂંઝાઈ ગયા. ઓહો ! હું વાસુદેવ થવાનો? હું ચક્રવર્તી થવાનો ? અને હું જ સર્વશ્રેષ્ઠ તીર્થંકરપદે પ્રગટ થવાનો? અને ઊભા થઈને નાના બાળકની જેમ નાચવા લાગ્યા. વળી તાનમાં આવી મોટે મોટેથી ગાવા લાગ્યા. આઘોઈ વાસુદેવાનાં, આઘોઈ વાસુદેવાનાં પિતા મે ચક્રવર્તીનાં, પિતા મહો જિનેન્દ્રાણાં. મમાહો ઉત્તમ કુલ. મમાહો તીર્થંકરપદે .ઓહોહો હું પ્રથમ વાસુદેવ, મારા પિતા પ્રથમ ચક્રવર્તી મારા દાદા પ્રથમ તીર્થંકર, મારું કુલ ઉત્તમ, હું ભાવિમાં ચક્રવર્તી થવાનો. હું જ તીર્થંકર થવાનો. આ બધા જ પદની ઋદ્ધિવાળો હું મનાવું છું. મનાવાનો છું. મારા જેવા શ્રેષ્ઠ અધિકારો કોઈને મળ્યા નથી. તેમના રોમેરોમમાં ગર્વ છવાઈ ગયો. અને તે જ વખતે કર્મરાજાએ તેની નોંધ લઈ નીચ ગોત્રના કર્મની સજા ફટકારી દીધી. ભગવાન ઋષભદેવના માર્ગથી વિપરીત વેષ, એ વેષમાં વળી કરેલી ઉત્સુત્ર પ્રરૂપણા, અને તેમાં કળશરૂપે ઉમેરો કર્યો મદનો., હિતશિક્ષા : ૧૩ . પર નજર નાખી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy