SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ વાવેલું બીજ અંકુર થઈ વૃક્ષ બને તે પહેલાં જ જમીનમાંથી ઊખડી ગયું. જે પછીના ભવે પાછું રોપાઈને વિરાટ સ્વરૂપે પ્રગટ થશે. મરિચિના ભવમાં એવું કંઈક બની ગયું કે જેમાં તેમનું ભાવિ બદલાઈ ગયું. પરમાર્થના બધા યોગ છતાં અપરમાર્થ સધાઈ ગયો. તે સમયે ભરતચક્રવર્તીની રાજધાની વિનીતા નગરીના ભવ્ય ઉદ્યાનમાં ભગવાન ઋષભદેવની પધરામણી થઈ. નગરમાં સમાચાર પ્રસારિત થયા. ભરત ચક્રવર્તી પરિવાર સહિત દેશના સાંભળવા આવ્યા હતા. ભગવાનની એ દેશનામાં આ કાળમાં થનારા ચક્રવર્તી વગેરેનું વર્ણન થયું. હવે પછી થનારા ત્રેવીસ તીર્થંકરોનો મહિમા સાંભળી ભરત ચક્રવર્તીએ પૂછ્યું કે : ભગવાન, આ સમવસરણમાં કોઈ એવો જીવ છે કે જે ભવિષ્યમાં તીર્થકર તરીકે પ્રસિદ્ધિ પામશે ?” ભગવાને કહ્યું :- “હે ભરત ! તારો પુત્ર આ મરિચિ આ અવસર્પિણીકાળના ચરમ તીર્થંકર ભગવાન મહાવીરનો જીવ છે. તે પરમ શુદ્ધતાને પ્રાપ્ત કરી, ધાતકર્મોનો નાશ કરી કેવળજ્ઞાન પામી તીર્થંકરપદને શોભાવશે. એ ઉપરાંત તે ત્રિપૃષ્ઠ નામનો વાસુદેવ થશે, વળી પ્રિય મિત્ર નામે ચક્રવર્તી પણ થશે. પ્રભુના મુખે પોતાના જ પુત્ર મરિચિના ભવિષ્યને સાંભળી ભરત ચક્રવર્તી અત્યંત પ્રસન્ન થયા. દેશનાનું શ્રવણ કરી ભરત મહારાજાનું મન ભાવિ તીર્થકરને વંદના કરવા ઉત્સુક બન્યું. અને પ્રભુને વંદન કરી ત્યાંથી વિદાય થયા; મરિચિ પાસે આવી વંદન કરવા લાગ્યા, અને કહેવા લાગ્યા કે : “હે મરિચિ ! તમને વંદન કરવાનો મારો આશય તમે સંન્યાસી છો, અથવા ચક્રવર્તીના પુત્ર છો, એ નથી. પણ ભગવાન ઋષભદેવે કહ્યું કે તમે આ ચોવીશીના ચોવીસમા તીર્થકર તરીકે પ્રગટ થવાના છો, વળી તમે ભવિષ્યમાં વાસુદેવ અને ચક્રવર્તીપદ પામવાના છો. મારા ૧૨ : હિતશિક્ષા અમદા ન છે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy