SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ મરિચિએ વિચાર્યું કે ભગવાને કહેલો માર્ગ અને દર્શાવેલો સંયમ સાચો છે, આથી અન્યને ઉપદેશ તો ભગવાનની પ્રણાલિ પ્રમાણે આપતા. પણ પોતે ત્રિદંડીનો વેશ ધારણ કરી લીધો. હૃદયમાં સંતાપ હતો. આંખના ખૂણે અશ્રુનું બિંદુ ટપકી જતું. પણ કાયા પરિષહ સહન કરવા તૈયાર ન હતી. આથી વિચારબળ હોવા છતાં તેઓ આચારમાં નબળા પુરવાર થયા. તેમણે મૂંડન કરાવ્યું પણ શીખા રાખી. કાષાયિક – પીળાં વસ્ત્ર, માથે છત્ર, શરીરે ચંદનનો લેપ, સ્નાન, પગમાં પગરખાં, આમ મોહથી મૂંઝાયેલા મિરિચિએ એક નવો સંન્યાસનો વેશ ધારણ કર્યો. પ્રમાદનું પગથિયું લપસણું છે. એકવાર પગ લપસ્યો કે પછી અટકવું દુર્લભ છે. રિચિ સંઘથી છૂટા પડી વિહાર કરવા લાગ્યા. હૃદયનો પેલો બળાપો અને આંખનું અશ્રુબિંદુ હજી કંઈક પ્રેરણા આપતું રહ્યું. જે જે સાધકો આવે તેમને ઉપદેશ આપી ભગવાન પાસે મોકલતા. સ્વયં ભગવાન સાથે વિહાર કરતા. વર્ષોનું વહેણ વહેતું રહ્યું. એકવાર મરિચિના શરીરે અસુખ થયું. તેમની સેવામાં કોઈ હતું નહિ. આથી મૂંઝાવા લાગ્યા. ત્યાં એક કપિલ કરીને શિષ્ય આવ્યો. તેણે ઉપદેશ સાંભળ્યો પછી પૂછ્યું. ‘‘તમારી પાસે ધર્મ પામી શકાય કે નહિ ?'' કોણ જાણે તેને પણ સંયમની ઉગ્રતા કઠણ લાગી હશે ? અને મિરિચ હવે બીજું પગથિયું ચૂક્યા, હજી સુધી જાળવેલ પ્રણાલિ દેહ શુશ્રૂષાના ભાવે તૂટી ગઈ. અને બોલી ઊઠ્યા. “અહીં પણ ધર્મ પામી શકાય.’’ શાસ્ત્રવિધિ કહે છે કે આ ઉત્સૂત્ર પ્રરૂપણા થઈ તેથી મિરિચના જીવે ત્યાં સંસારની યાત્રામાં વૃદ્ધિ કરી. ભવિતવ્યની આગળ હાર ખાઈ ગયા. સાધક અવસ્થા એટલે ચાર ડગલાં ચાલે અને કોઈવાર પાંચ ડગલાં પાછા પડે. તો વળી કોઈવાર ચાર ડગલાંનો વિકાસ આઠ ડગલાંની ફાળ ભરે. આમ ચઢઊતર એ સાધક અવસ્થા છે. નયસારના જન્મમાં હિતશિક્ષા ૪ ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy