SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Ne, વિર મહાવીરનું શરણું ગ્રહીલે, દુઃખ પડે તો – દુઃખડા ગ્રહી લે માનસરોવરના મોંઘા મોની, હંસ બનીને ચરતો જા આવ્યો છું તું આ સંસારે સફલ જન્મ તું કરતો જા ભવ બીજો : દેવલોકમાં અંત સમયે ધર્મારાધના કરીને નયસારનો જીવ સૌધર્મદેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. ધરતી પર સેવેલા સંસ્કારો પુણ્યરૂપે પ્રગટ થઈ, તેને દેવલોકના સુખ સુધી પહોંચાડ્યો. શુભકર્મની એ પ્રકૃતિનો પુણ્યોદય હોય છે. દીર્ઘકાળનું દેવલોકનું આયુષ્ય સુખપૂર્વક ભોગવી રહેલો એ જીવ, એ આયુષ્યની મર્યાદા પૂરી થતાં વળી પાછો ઘરતી પર અવતરે છે. ભગવાન ઋષભદેવ મહારાજાના પુત્ર ભરતને ત્યાં પુત્ર પણે ઉત્પન્ન થયો, તે મરીચિના નામે પ્રસિદ્ધિ પામ્યો. ક ન ભવ ત્રીજો : પરિશિ નવા ના - - નયસારનો જીવ દેવલોકમાં ઉત્પન્ન થઈ. આયપૂર્ણ થયે ત્રીજા આરાના અંતમાં પ્રથમ તીર્થકર ઋષભદેવના જ્યેષ્ઠપુત્ર ભરત ચક્રવર્તીની રાણીની કુક્ષીએ પુત્રપણે જન્મ પામ્યો. અત્યંત વૈભવ અને સમૃદ્ધ રાજારાણીનો રાજકુમાર મરિચિ નામે પ્રસિદ્ધિ પામ્યો. કાળક્રમે ભરત મહારાજા ચક્રવર્તી થયા. ચક્રવર્તીના પુણ્યબળે તેમના પરિવારને પણ સાંસારિક સુખોની કંઈ ઓછાઈ હોતી નથી. એવા પુણ્યયોગમાં મરિચિને પણ પૌદ્ગલિક સુખવૈભવનો કંઈ પાર નહોતો. પણ આજીવે તો નયસારના જન્મમાં અંત સમયે અરિહંતનાં શરણમાં સુખ માન્યું હતું. તે સંસ્કારના બળે આ ભવમાં પણ ઉત્તમ યોગ મળી ગયો. | હિતશિક્ષા જ ૯ --- ------- ----- ---- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy