SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ જsesseતાના હારૂન કલાકાર મનાવવામાન ન કરનારા અને અનાજ સંભવ છે કે એવો યોગ મળે તો તને પણ કોઈ જ્ઞાનીજનોનો મેળાપ થતાં પરમાર્થમાર્ગ મળી જાય. તેનું બીજ રોપાઈ જાય અને તું કૃતકૃત્ય થઈ જાય. માનવખોળિયું મળ્યા પછી જીવનને ઘડવું પડે છે. કાચો અર્થાત્ સંસારી જીવ પરમાર્થનું સુખ પામી શકતો નથી. પરમાર્થ રહિત માનવદેહના જીવનની આલોકમાં કંઈ શોભા નથી. માટી ટીપાઈને ઘડાય પછી ઘડા આદિ પ્રકારે શોભે છે. સોનું પણ શુદ્ધ બનીને, ટપાઈને, ઘડાય ત્યારે શોભે છે હીરાનો ટુકડો પહેલ-પાસા પડ્યા પછી શોભે છે. સૂતર વણાઈને કાપડ બને ત્યારે શોભે છે. તેમ ભાઈ ! તારે પણ ઘડાવું પડે. તે માટે માતાપિતા પ્રત્યે આદર રાખી તેમનો સંસ્કારવારસો ગ્રહણ કર. ગુરુજનો પ્રત્યે વિનય રાખી વિદ્યા પ્રાપ્ત કર. મિત્રોમાં સમાનભાવ રાખી શાંતિ પ્રાપ્ત કર, ગુણવાનો પ્રત્યે પ્રમોદભાવ રાખી ગુણસંપન્ન થા ; અને આખરે પ્રભુ પ્રત્યે પ્રીતિ કરીને શાશ્વત સુખ પ્રાપ્ત કર. આ માનવદેહનું ઘડતર છે. વાસ્તવમાં આત્મા પર લાગેલી મલિનતા દૂર થઈ, શુદ્ધતા પ્રગટે છે, ત્યારે તારું સુખ પણ શાશ્વત બને છે. તે માટે ઘડાવું જરૂરી છે. બાળક નયસાર, આપણને આજ્ઞાપાલન શીખવે છે, યુવાન નયસાર આપણને સંયમિત જીવન અને પરોપકારના સંસ્કાર આપે છે. પ્રૌઢ નયસાર આપણને અતિથિનો સત્કાર અને ધર્મભાવના શીખવે છે. નયસારના અંતિમ દિવસો આપણને વ્રતાદિની, વૃત્તિસંક્ષેપની નિવૃત્તજીવનની અને અંતે સમાધિ-મરણની શીખ આપે છે “મન, વાણી, કાયા વશ રાખી, મમતાનો બોજો દૂર રાખી, ઘન દીધું જો ઘણીએ તુજને, પેટ ભૂખ્યાંનાં ભરતો જા. જગમાં તું મહાન કહેવાયો, આશ કરી કોઈ આંગણે આવ્યો. દીન દુઃખિયાનાં દુઃખડાં તારા, કર્ણ પટ પર ઘરતો જા.” આવ્યો છું તું આ સંસારે, સફળ જનમ તું કરતો જા | ૮ ૪ હિતશિક્ષા જ કાકા ન કરતા હતા ત www. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy