SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ લાગે છે. તેની સામે ભગવાનની સમતાનો એક અંશમાત્ર તારામાં પરિણમે તો તે ભૂતાવળ ભાગી શકે. અરે ! સંગમે તો હદ જ કરી હતી. કેવા અશુભ કાળે તેને એવી કુમતિ સૂઝી કે હૃદયને કંપાવનારા, સામાન્ય જનની તો કલ્પના પણ કામ ન કરે તેવા ઘોર ઉપસર્ગથી ભગવાનને તેણે છ માસ સુધી પીડાઓ પહોંચાડી, અને ભગવાનની એ જ અડગતા, દેહાતીત દશા. ધ્યાનસ્થ મુદ્રા, અનન્ય, અજોડ, અદ્ભુત, આશ્ચર્યકારક, અકથ્ય, અવસ્થા. સાધકે ભગવાનના એ ઘોર ઉપસર્ગોની ભયાનકતાને યથાર્થપણે જાણે, તે સમયની ભગવાનની અનુપમ સમતાને સન્માને, ભગવાનના અતુલિત બળનો મહિમા જાણે તો સાધનાની દૃઢતા વૃદ્ધિ પામે. ભાઈ આ કળિયુગમાં કંઈ તારાં સતયુગ જેવાં પારખાં થવાનાં નથી. આ કાળનો માનવી શારીરિક કે માનસિકપણે નિર્બળ છે. છતાં માનવજન્મ પામીને તેણે ઉત્તરોત્તર આત્મવિકાસ કરવો હશે તો જે કાળે જે સમયે જેવાં સાધન હોય તે વડે સાધનાની કેડી કંડારતા રહેવાનું છે, અને બળને વિકસાવવાનું છે. પરંતુ સામાન્યપણે ઘડીઘડીમાં નંદવાતું તારું મન, સામાન્યપણે ઉદયમાં આવતી અશુભપળોમાં તું બળહીન બની જાય છે. અશાતાના ઉદયમાં દેહાત્મબુદ્ધિમાં અટવાઈ જાય છે. એકવાર તારી સુષુપ્ત ચેતનાને જાગૃત કર, તે તને મંજિલ સુધી પહોંચાડશે. આ કાળે તારી કસોટી કેવી થવાની? તને કોઈ યક્ષો, કે રાક્ષસો ભેટવાના નથી. કોઈ ઝેરીલા સર્પ સામે તું જવાનો નથી. તારે કદાચિત કોઈનાં કડવાં વેણ સાંભળવામાં આવે, ક્યાંક કોઈથી અપમાનિત થાય, ક્યારેક ભાવતા ભોજન કે ઇચ્છિત વસ્તુ ન મળે ત્યારે, ઈષ્ટનો વિયોગ થતો, અનિષ્ટનો યોગ થાય ત્યારે જાણે તારે માથે આભ તૂટી પડ્યું હોય તેવો તું આકુળ થઈ જાય છે. આ સર્વથી વિશેષ ભયંકરતા તો જીવની આંતરિક વિષમતાની છે. ૧૬ જ હિતશિક્ષા wy વાવવાભાવાવરાવવા જણાવવામાહાના હાવભાવ nicoodooooooooooooooooooooooooooooooooooooooo Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy