SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ UVO કરે કાળજાને કતલ પીડા કામની બિહામણી, એ વિષયમાં બની અંધ હું વિટંબણા પામ્યો ઘણી. ક્રોધાદિ કષાયો જેવા શલ્યો ડંખે, પંચેન્દ્રિયના વિષયોનું કાતિલ ઝેર, આહારાદિ સંજ્ઞાઓનું ચક્ર, જીવને નિરંતર સંતાપ આપે છે. અને ભાઈ ! તારે તો મોક્ષના શિખરે પહોંચવાનું છે. આવી ક્ષુદ્રતામાં અટકી ન જ પરંતુ ભગવાનની અતુલિત સમતામાંથી માત્ર એક અંશ પામી, તેમની કરુણાને પાત્ર બની જીવનપંથને ઉજાળી દે. વીતરાગનું શાસન પામીને સ્વાધીન સુખની પ્રાપ્તિ કરી લે. તેમની જીવનકથાનું અમૂલ્ય અમૃત ઝીલવાની જિજ્ઞાસાને જાગૃત કર. ભગવાન મહાવીર કોઈ ઐતિહાસિક પાત્ર નથી કે કેવળ ભૂતકાળ જ બની રહે. એ તો સર્વતોમુખી પારમેશ્વરી વ્યક્તિત્વ છે. જ્યારે તેમની કથાનું શ્રવણ કરો ત્યારે તે વર્તમાનની જ કથા બને છે. તેથી તેમનો પરિચય પામી ભૂતકાળમાં જીવો તરી ગયા. વર્તમાનમાં તરવાનો પ્રયાસ કરે છે. અને ભવિષ્યમાં તરવાનું પ્રયોજન કરશે. ભગવાન મહાવીર કોઈ એક વ્યક્તિપણે નથી. તેઓ તો સમષ્ટિ માટેનો ચૈતન્યનો જ્યોતિપુંજ હતા. તેમનો, તેમના નામનો તેમની કથાનો, તેમના પ્રસંગનો. તેમના માર્ગનો જે સ્પર્શ કરશે તેની પોતાની જ્યોતિ પ્રગટ થશે. દીવે દીવો પ્રગટે તેવું એ સત્ છે. તીર્થકરનું ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ એ કલ્યાણકો મનાય છે. કારણ કે તે પ્રસંગો અંધકારમાં પ્રકાશને પ્રગટ કરનારા છે. દેવો અને માનવોને સૌને ઉપકારક છે. કારણ કે તેમના જીવનની પવિત્રતાને સ્પર્શીને ઉત્પન્ન થયેલા પુણ્યાતિશયોની એ ફલશ્રુતિ છે. છતાં...છતાં.. જિનેન્દ્રો પણ પૂર્વસંચિત કર્મના ઉદયને સમભાવે ભોગવીને છૂટ્યા છે. તેવા રહસ્યનો સ્વીકાર કરી લે અને અશુભયોગે ઉદયમાં આવતી વિષમતાના કડવા ઘૂંટડાને ગળી જજે. અને શુભયોગના ઉદયમાં તન, મન, ધન, અને સર્વ સાધનનો ઉપયોગ કરજે, અંતમાં પરમાર્થે વળજે. | હિતશિક્ષા થી ૧૬૭ ક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy