SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકૃતિએ સ્વચ્છંદી હતો, તેથી તે પ્રમાણે વર્યો, ગૌતમ સુસંસ્કૃતભાવવાળા. હતા. ભગવાનનો બંને પ્રત્યે સમાન વાત્સલ્યભાવ હતો. ભગવાન સામે શૂલપાણિ આવ્યો, શાલિભદ્ર આવ્યા. શૂલપાણિએ ઉપસર્ગ કર્યા. શાલિભદ્ર પ્રભુની આજ્ઞાએ વર્તા, ભગવાને બંને માટે સમાન કરુણા વરસાવી. દીક્ષાકાળમાં રાક્ષસી કટપૂતનાએ ઉપસર્ગ કર્યો, ચંદનબાળાએ પ્રભુને અત્યંત પૂજનીયભાવે નીરખ્યા. ભગવાનનો બંને પ્રત્યે મધ્યસ્થ ભાવ રહ્યો. ઉપસર્ગ કરનાર પ્રત્યે અભાવ નહિ કે કોઈ ફરિયાદ નહિ. ભક્તિ કરનારા મારા માટે પ્રિય છે, માટે તેને કંઈ અધિક આપવું તેવો ભેદ નહિ. હા, ભગવાનની કરુણા, સમતા, કે વાત્સલ્ય વર્ષા જેવાં હતાં, ભેદ વગર વરસે, પણ ભાઈ, જેમ ખેતરની યોગ્ય વ્યવસ્થા કરી હોય, ઉત્તમ બી વાવ્યાં હોય તે પ્રમાણે વર્ષાનાં નીર પરિણમે છે, તેમ જીવની ભૂમિકા પ્રમાણે ભગવાનનું યોગબળ તારી સિદ્ધિમાં નિમિત્ત બને છે. સર્વ જીવો સુખ પામો તેવી ઉત્કૃષ્ટ ભાવનાબળે તો તેઓ તીર્થંકરપણે પ્રગટ થયા હતા, પછી ભેદ કેવો ? સંસારયાત્રા જ ખાડા-ટેકરા, ભરતી-ઓટ, આંધિતૂફાન જેવા સંઘર્ષોથી ભરપૂર છે, રાગ-દ્વેષ, જન્મ-મરણ, હર્ષ-શોક, માન-અપમાન, સુખ-દુ;ખ જેવા કંકો યુક્ત છે, તેમાં રહી જીવ સુખ શોધે તો તે અસંભવિત છે. એ સંઘર્ષો અને કંદોનું સર્જન જીવની મનોવૃત્તિમાંથી પેદા થાય છે, અજ્ઞાનની જાળમાં જકડાયેલા જીવને જીંદગીનું રહસ્ય સમજાતું નથી. ભોગ અને રોગ રહિત, આશા અને અપેક્ષાથી નિરપેક્ષ, લાલસા અને વાસનાથી મુક્ત, ઈચ્છા અને તૃષ્ણાથી વિરક્ત જીવનનો આનંદ હજી જીવના પરિચયમાં આવ્યો નથી. એવું મુક્ત જીવન પામવા ભગવાને જે મૂલ્ય ચુકાવ્યું, જે ઉપસર્ગો સહન કર્યા તેને તું નિત્ય સ્મૃતિપટ પર લાવ, કે ક્યાં ભગવાનના જીવનનો વિક્ટ વનવિહાર અને ક્યાં મારી ક્ષુદ્રતા? તારા જીવનમાં સામાન્ય પ્રતિકૂળતાઓ જે તને ભૂતાવળ જેવી હિતશિક્ષા કર ૧૫ MANSOMWA es કા - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy