SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ પાત્રતા માટે તું નવકાર મંત્રને સર્વશ્રેષ્ઠ જાણી હૈયામાં ધારણ કરજે. તેનું શરણ ગ્રહણ કરીને દુઃખથી મુક્ત થજે. ધર્મના શરણ રહિત જીવો સંસારની ચારે ગતિમાં રખડીને દુઃખ પામે છે. માટે શ્રાવકધર્મ અંગીકાર કરી તારો જન્મ સાર્થક કરી લે. આ અસાર સંસારને જીવે નિર્ભય થઈને સેવવા જેવો નથી. માટે ક્ષણે ક્ષણે પરિવર્તન પામતી વૃત્તિઓ અને વાસનાનો ભરોસો રાખવો નહિ. સંસારના પ્રકારો અને પ્રસંગો જીવને રાગાદિ પરિણામોના નિમિત્ત છે, માટે તેનો સંક્ષેપ કરજે, પાપથી પાછો વળજે, સમતાને ધારણ કરજે, અને રાગાદિ ભાવોથી રહિત નવકારમંત્રની ઉપાસના કરજે.” મુનિજનોના મુખેથી પવિત્ર વાણીને ગ્રહણ કરીને નયસારમાં પડેલું સત્ત્વ કળીમાંથી કમળ ખીલે તેમ જાગૃત થયું. અનાદિનું મિથ્યાત્વ મંદતા પામ્યું અને તેના આત્મપ્રદેશે સમ્યકત્વની પાત્રતા પ્રગટી. જો કે હજી સાધક અવસ્થાઓમાં પરિણામોની વિચિત્રતાથી ચઢઊતર થવાની છે પણ સાધ્યની સિદ્ધિનાં રહસ્યનો અંશ તેને સ્પર્શી ગયો. મુનિજનોના સંપર્કથી બોધને ગ્રહણ કરીને નયસાર હવે નવકારમંત્રનો આરાધક બન્યો. શેષ જીવન ધર્મારાધનામાં વિતાવી નિવૃત્તપરાયણ રહી; અંતસમયે સમાધિમરણ પામી, દેવલોકમાં ઉત્પન્ન થયો. નયસારના નિયમથી હિતશિક્ષા ભગવાન મહાવીરના સત્તાવીસ ભવમાં પ્રથમ ભવ નયસારનો છે. આર્યભૂમિમાં ઉત્તમ કુળમાં જન્મ, સદ્ગુણસંપન્ન માતાપિતા, આવા ઉત્તમ યોગ નયસારને મળ્યા હતા. એ નયસારની પાત્રતા પણ એવી હતી કે માતાપિતા પ્રત્યે અત્યંત આદર રાખતો, તેમના વચનને તે પ્રમાણ માનતો. એક નાના સરખો નિયમ “ખવરાવીને ખાજે.” પામવામાં તે તત્પરતા રાખતો. આ પ્રસંગમાં એ શિક્ષા ફલિત થાય છે, કે જીવાયેલું જીવન ત્યારે જ પુણ્યવંતુ બને છે કે જ્યારે જીવને આવા યોગ મળે છે, તે પછી વિચારવાનું એ છે કે વડીલો પ્રત્યેના અવમૂલ્યનના આ કાળમાં નયસાર બાળવયે પણ - ૬૪ હિતશિક્ષા | નજર - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy