SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ આ હકીકત તેમણે શ્રમણોપાસિકા જયંતીના પ્રત્યુત્તરમાં ઉપદેશરૂપે જણાવી છે. પ્રભુએ જે આપ્યું તે અમૂલ્ય હતું ભગવાન મહાવીરને બાર વર્ષ ઉપરાંત અંતર-સંશોધન કરીને તેમાંથી જે સત્ય લાગ્યું, જે જ્યોતિ પ્રગટ થઈ તે પૂર્ણરૂપે હતી. આથી તેમણે પણ જે જે જીવોને માર્ગ બતાવ્યો તે આત્મસંશોધનનો બતાવ્યો. અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગોમાં એક જ મંત્ર આત્મસંશોધન. પછી સર્પ હો, શૂલપાણિ હો કે ગોશાળક હો કે ગૌતમ હો. . ભગવાન જ્યોતિપુંજ હતા. તેમની નિશ્રામાં દીવે દીવો પ્રગટે તેમ ગૌતમાદિ પ્રગટ થયા. અને ઝંખવાતા દીવા પણ પુનઃ પ્રગટ થઈ જતા. કારણ કે આ કંઈ તેલદિવેટના દીવા નહોતા કે કોઈ વાર પ્રગટ થાય અને ઝંખવાય. આ તો ચૈતન્યદીપ હતો, તેમાં સત્યનો પ્રકાશ પ્રગટ થયો, પછી પ્રગટતો જ રહે, પૂર્ણપણે પ્રગટીને અનંતકાળ સુધી પ્રગટેલો જ રહે છે. એમની શિક્ષણ પદ્ધતિ અનોખી હતી. શ્રેણિક મેઘકુમાર, અરણિક, નંદિષેણ જેવા જીવોને કંઈક જ્યોત મળી પણ જ્યારે ઝાંખા પડ્યા ત્યારે પાછા પુનઃ પ્રભુના ઉપદેશથી પ્રગટ થયા. અને મુક્તિને યોગ્ય પાત્રતા કેળવી લીધી. અરે ! અંધકારમાં જ દટાઈ ગયેલા એવા રોહણીય, દ્રઢપ્રહારી, અર્જુનમાળી જેવા અપરાધી જીવો પણ અનાદિની ધૂળ ખંખેરીને જાગરણમાં આવી ગયા. આ જ પ્રભુના શિક્ષણની ઉત્તમતા હતી. ગોશાળક ભલે તેમની સાથે અજ્ઞાનપણે વર્યો પરંતુ અંતમાં જ્યારે આક્રમક વૃત્તિથી આવ્યો ત્યારે કરુણા વડે આખરની વાત ભગવાને તેને અત્યંત સંક્ષેપમાં સમજાવી. “ગોશાળક, તું સર્વજ્ઞ નથી. મારો શિષ્ય હતો. મેં તને દીક્ષા-શિક્ષા ૧૫૪ જ હિતશિક્ષા w કિજલ કરાર કરવાની જા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy