SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ V AAMAANVAARANU M ARANIWANNAVARRARAANANTANANLANAN પરંતુ ધર્મમાર્ગમાં પ્રવેશ કરેલા જીવો જો પ્રમાદ સેવે તો મળેલો અવસર ચૂકી જાય છે. અર્થાત્ પ્રમાદ કરવો અહિતકર છે. શંખનું સમાધાન સુદર્શન શ્રાવક સુખભોગ માટે પુરુષાતનયુક્ત સબળ હતા. છતાં શીલની રક્ષા કાજે પોતે ભોગક્રિયા માટે નપુંસક – દુર્બળ છે, તેમ કહ્યું તે અપેક્ષાએ સત્ય છે. કોઈ પણ પુરુષ પરસ્ત્રી માટે નપુંસક છે, તે માનવું તે હિતાવહ છે. નિગ્રંથમુનિ માટે ભિક્ષા - યાચના તે ધર્મ છે. ગૃહસ્થ માટે ભિક્ષા-યાચના એ અધર્મ છે. અથવા તેમ થવું તે હિણપુણ્ય છે. ભગવાનના શાસનનો શંખ શ્રમણોઉપાસક હતો. એક વાર સાધર્મી મિત્રોએ એકઠા થઈ ભોજન-સમારંભનું આયોજન કર્યું હતું. શંખ પ્રથમ તેમાં જવા સંમત થયા હતા, પરંતુ પાછળથી તેમને તે દિવસે ભોજનના સમારંભમાં જવા કરતાં પૌષધોપવાસમાં વિશેષ ધર્મ સમજાયો, તેથી તે દિવસે તે ભોજન સમારંભમાં ગયા નહિ. બીજે દિવસે તેઓ સૌ ભગવાનના દર્શનાર્થે ગયા. અન્ય મિત્રોએ તેમને ઉપાલંભ આપ્યો કે તમારે વચન પાળવું જોઈએ. તમે તે દિવસે ભોજનમાં પૌષધોષવાસ કરીને અમારું અપમાન કર્યું છે. - ભગવાને આ વાર્તાલાપ સાંભળ્યો અને સમાધાન કરી આપ્યું કે, “શંખે તમારું અપમાન નથી કર્યું પરંતુ ભોજનના સમારંભ કરતાં જાગૃતિપૂર્વક તેમણે વ્રત કર્યું છે, તે યોગ્ય કર્યું છે.' ઘર્મ-અનુષ્ઠાનના કોઈ પ્રસંગોમાં અહંકાર કે પ્રમાદવશ ન જવું અને આરંભ લાગશે તેવું સમાધન કરી લેવું તે ધર્મ નથી. પરંતુ એ સંયોગો કરતાં કોઈ વિશેષ ધર્મ પ્રાપ્ત થતો હોય, તો જે વિશેષ ધર્મ હોય તેને પ્રાધાન્ય આપવું. એમાં અનાગ્રતીપણું છે. જેમ કે શંખે ભોજન સમારંભમાં જવાને બદલે પૌષધધર્મનો સ્વીકાર કર્યો હતો. હિતશિક્ષા સંસારી જીવો પોતાને મળેલી બુદ્ધિપ્રતિભાનો સદુઉપયોગ કરે તો, ૧૫ર જ હિતશિક્ષા - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy