SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ વિકલ્પનું કારણ રહેતું નથી. હે જીવ! તું જાણે છે આવી શરણાગતિ પ્રથમ તો તારા અંતરના અંધકારને દૂર કરી અજવાળી દેશે. તારી પોતાની પ્રકૃતિમાંથી વિકૃતિ વિરામ પામશે. અને તારામાં સ્વયં એક દિવ્ય સ્રોત પ્રગટ થશે. ત્યારે અહં જેવા દોષો સ્વયં વિલીન થઈ જશે. પરમાત્મા પ્રત્યેનું સમર્પણ એટલે શુદ્ધતત્ત્વ સાથેનું સાધકનું મિલન છે. પરમાત્માનું સૂર્ય સમાન જ્ઞાનસ્વરૂપ તારામાં સંક્રમણ થશે, ત્યારે તારું જ્ઞાનસ્વરૂપ સૂરજમુખીની જેમ ખીલી ઊઠશે. તારા આત્મપ્રદેશ પ્રદેશે એ જ્ઞાન પ્રગટ થઈ જશે. અનાદિકાળનાં જન્મમરણ સમાપ્ત થશે. અહીં કંઈ ગુમાવવાનું નથી. પ્રાપ્તની પ્રાપ્તિ પ્રગટતાં પામીને પામરને પરમ બનાવે છે. પછી તને શું જોઈએ ભાઈ ! એકવાર એક્વાર... હે જીવ ! પરમાત્માનાં ચરણોમાં ઝૂકી જા. જેથી ચૌદરાજ લોકમાં ઝૂકવાનું ટળી જશે. ગૌતમને મહાવીર મળ્યા. ગૌતમે શરણાગતિમાં હિત જોયું અને સમર્પિત થઈ ગયા. આગમન સમયે સમવસરણ આદિ ઋદ્ધિ જોઈ આશ્ચર્ય પામ્યા પણ ત્યાં અટક્યા નહિ. ભગવાનનાં દર્શન થતાં વળી વિસ્મય પામ્યા, પણ એ રૂપમાં અટક્યા નહિ. પરમાત્માના વચનનો રણકાર તેમના હૃદયને સ્પર્શી ગયો. અને તે સ્પર્શ શરણાગતિમાં પરિવર્તિત થયો. ગૌતમની ભક્તિમાં સમર્પણ સિવાય કોઈ સ્પૃહા ન રહી. ભગવાનનું શરણ પામી ગૌતમ અહંકારમુક્ત થયા, પરિણામે તેમનામાં અહમનું સર્જન થયું. સ્વયં અહંમરૂપે પ્રગટ થયા. ગોશાળકનું ભવિતવ્ય જ હિનયોગવાળું હતું કે શું? તેનામાં યથાર્થ શરણાગતિનો ભાવ ન જન્મ્યો. પ્રથમથી જ પેલા પાંચ દિવ્યોના ચમત્કારમાં જ તેણે ભગવાનને નમસ્કાર યોગ્ય માન્યા, તેનાથી આગળ તેજોલેશ્યાની સામે શીતલેશ્યામાં તેણે ભગવાનની પ્રતિભા સીમિત કરી લીધી. પોતે ત્યાં જ અટકી ગયો. સમર્પણના ભાવમાં અને ચમત્કારમાં દેખાતા ભગવાનનું યોગબળથી સમાન કાર્ય થવું સંભવિત નથી. આથી ગોશાળક હિતશિક્ષા & ૧૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy