SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ આ હતું તેમનું શિક્ષણ અને જગતને પણ સત્ય તરફ લઈ જવાની અનુપમ પ્રણાલિ. ભગવાને ગૌતમના આત્માને જાગરણ વડે સુરક્ષિત રાખ્યો તે ભગવાનના હૃદયનો ગૂઢ મર્મ હતો. વળી પ્રાયશ્ચિત્ત દ્વારા અહંનું વિસર્જન થયું. ગૌતમને જો પ્રભુ પ્રત્યે અનન્ય સમર્પણભાવ, અને આજ્ઞામાં જ શ્રેય ન જણાયું હોત તો, તેઓ આનંદને આંગણે પાછા જઈને ઊભા રહી ન શકત. અને પાછા જઈને તે જ ક્ષણે ક્ષમા માગવી તે પણ તેમની અત્યંત લઘુતા જ હતી. વાચકો, વિચારો ! તમે જ્યારે કોઈની ક્ષમા માગો ત્યારે શું શું ભાવ કરો છો ? ખાસ લાભ ન જણાય તો માફી માગવાનું ટાળો ? માગતાં પહેલાં અહંને ભેળવીને કેટલાય વિકલ્પો કરો ? કેવા શબ્દો ગોઠવો, કે માફી માગી કહેવાય, અને માફી માગ્યા પછી પોતાની નમ્રતાનું પ્રદર્શન કરવા તે વાત કેટલાકને કાને પહોંચતી કરો ? આવી ક્ષમા માગીને જીવ હળવો બનતો નથી, પણ ભારે બને છે. તેમાં પણ જો ગુરુના કહેવાથી માગવાનો પ્રસંગ બને તો ગુરુ માટે પણ વિકલ્પની જાળ ઊભી થાય. તેમના પ્રત્યે પણ માનસિક અનાદર થાય. જવા દો આવું તો કેટલુંયે થાય ! ક્યાં છે એવા પુણ્યોદય કે ગૌતમની સમર્પણની અખંડ ઘારાનો કોઈ અંશ આપણને સ્પર્શી જાય? જે દિવસે સાધકનું ચિત્ત ગૌતમની સરળતાની સમર્પણની ઘારાને ઝીલવા જેવું બનશે તે દિવસે તેવો સાધક પણ ગૌતમના આસનને પાત્ર થશે. ભાઈ ! તને આજ્ઞામાં કે શિક્ષામાં શ્રદ્ધા ન હોય સમર્પણભાવ ન હોય તો વિકલ્પ કરીને અંતરાયકર્મને ગાઢ ન કરતો. પરંતુ ગૌતમ જેવા શાસ્ત્રવિદ્, મંત્રવિદ્, અનેક શિષ્યોના સમુદાયવાળા, યશકીર્તિની ક્લગી જેની શોભતી હતી, હજારો અનુયાયીઓને માનનીય, પંડિતોને આદરણીય, જો ભગવાનના વચનની લઘુતાભાવે, વિકલ્પરહિત, પૂર્ણપ્રેમથી, નિસ્પૃહભાવે ભક્તિયુક્ત ઉપાસના કરીને, ભક્તિ વડે મુક્તિને પામી શક્યા, તો પછી તારે માટે હવે કોઈ ૧૪૦ ર હિતશિક્ષા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy