SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ પૌલિક લબ્ધિમાં અટકી ગયો. પૂર્ણતાના ભ્રમમાં પડ્યો. અને સના યોગબળને ઝીલી ન શક્યો. એમાં નિયતિનો સ્વીકાર કરવો. ગૌતમે પૌગલિક રિદ્ધિસિદ્ધિઓ જોઈ પણ તેને ઉલ્લંઘી આગળ વધી ગયા. અને ભગવાનની દૃષ્ટિમાં દૃષ્ટિ મળતાં અલૌકિક દર્શન પામી ગયા, જે તેમને સ્વરૂપની પ્રાપ્તિની ઝંખના સુધી લઈ ગયું. પ્રશસ્ત રાગમાં કંઈક અટક્યા, પણ પેલાં દર્શનરૂપ જ્યોત દ્વારા તેઓ પૂર્ણતાને પામી ગયા. જગતના જીવોને કેવો સુંદર ઉપદેશ મળ્યો. રાગ કરો વીતરાગ પ્રત્યે. પ્રશસ્ત રાગ કરો, કે જે વૈરાગ્યમાં પરિણમે. પ્રભુવિયોગે રડો, જૂરો, કે જે વિયોગથી કલ્યાણ પ્રાપ્ત થાય. પ્રભુ વિયોગે રડી ઊઠેલા ગૌતમની ચેતના જાગૃત થઈ. પાકા પાનની જેમ બધો ભ્રમ ખરી પડ્યો. અને તેઓ કેવળજ્ઞાનને પામ્યા. વાસ્તવમાં તેમની નિસ્પૃહ ભક્તિ જ મુક્તિનું નિમિત્ત હતી. કાકા કાકડકડ, ભગવાને શ્રેણિકને દર્શાવેલું આત્મસંશોધન જામનગર મગધસમ્રાટ શ્રેણિકે મહાવીરના શાસનનો સ્વીકાર કર્યો. તે ભગવાનનો અનન્ય ભક્ત બન્યો. ભગવાનની દેશનાના શ્રવણથી અભિભૂત થયેલા શ્રેણિકના ચિત્તમાં મંથન થયું કે મારી ગતિ શું થશે ? “ભતે મારી ગતિ શું થશે ?” ભગવાનના જ્ઞાનમાં ત્રિકાળ અંક્તિ હતો. શ્રેણિકના પ્રશ્નનો જવાબ તો કડવો હતો, પણ વાત્સલ્યમય ભગવાને એ કડવાશમાં શ્રેણિકનું હિત જોયું હતું. ભગવાન : “હે શ્રેણિક ! કોઈ અત્યંત અશુભ પળે તું નરકનું આયુષ્ય બાંધીને બેઠો છું.” ભંતે, “ન બને, આપનો સેવક નરકમાં જાય તો આ ભક્તિની ફલશ્રુતિ શું ?” ૧૪૨ હિતશિક્ષા જ ન કરવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy