SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ શિક્ષણની ચાવી છે. જેનાથી અજ્ઞાનનાં તાળાં ખૂલી જાય છે. માટે ગુરુજનોની આજ્ઞામાં રહી કૃપાપાત્ર બનજે. ::::: સમતાના સાગર સૌધર્મેન્દ્ર જન્મથી જ પ્રભુના પરાક્રમથી પરિચિત અને પ્રભાવિત હતા. પરંતુ તેઓ પ્રભુ પ્રત્યે ભક્તિવાળા હોવાથી પ્રભુની પ્રશંસા, સ્તુતિ અને મહિમાનો અવસર ચૂકતા નહિ. ઇન્દ્રરાજ એક વાર સભામાં ભગવાનના સાહસનું અતિસ્નેહ અને સભાવથી વર્ણન કરતા હતા કે દેવોને માટે પણ આવું પરાક્રમ કરવું અશક્ય છે. ધન્ય છે મહાવીરને. ખરેખર તે વીર, મહાવીર કે અતિવીર છે. તેમનું મનોબળ અને શારીરિક બળ અદ્ભુત છે. તેમની સહનશીલતા અવર્ણનીય છે. તેમનો સમભાવ અનન્ય છે. તેમની નિર્ભયતા અજોડ mm જામક એ સભામાં અભવ્ય એવો બિચારો સંગમ ભવિતવ્યતાને જોરે છળી ઊઠ્યો. અન્ય દેવો ઇન્દ્ર પ્રશસા કરેલા ભગવાનનાં પરાક્રમોથી ખુશી થયા અને સંગમને વિપરીત ભાવ ઊઠ્યા. તેણે કહ્યું કે જોઉં છું કે આ માનવ પોતાના સ્વબળે કેવો ટકે છે ? સાત હાથના માનવનું બળ દેવોને માટે પ્રશંસનીય હોય ? ક્યાં દેવની વૈક્રિય આદિ લબ્ધિ અને ક્યાં ધરતીનો માનવી ! અને..અને...ગણતરીની પળોમાં તેણે અવધિજ્ઞાન વડે શોધી કાઢ્યું કે ભગવાન ક્યાં છે. વિલંબરહિત તે જંગલમાં ધ્યાનસ્થ રહેલા ભગવાનની મુદ્રા પાસે હાજર થયો. તેની ઉપસર્ગ કરવાની કુબુદ્ધિ પણ અનોખી હતી. પ્રભુના અતુલ બળનો તેને ખ્યાલ ન હતો. પ્રથમ તેણે મુખ વડે ભયંકર ચિત્કાર કર્યો, એણે માન્યું હતુંઆ ચિત્કારના શ્રવણ વડે જ માનવનાં ગાત્ર ગળી જાય. પણ પ્રભુ તો એવા ને એવા અડગ રહ્યા, પછી તો તેનો જુસ્સો વધ્યો, જાણે કે કાળું ૧૨૮ ૪ હિતશિક્ષા 1000 D O000.000 .00 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy