SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈ અપરાઘજનિત સંયોગથી સુધા વેઠવી પડે ત્યારે નવકારનું સ્મરણ થવું શક્ય લાગે છે? તમે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય અને દુઃખમાં આવી પડો ત્યારે ભૂતકાળને વાગોળ્યા કરો, અન્યને પણ તે હકીક્ત જણાવી આંસુ સાર્યા કિરી; કે જાણે કંઈ જ બન્યું નથી તેમ વિસ્મૃત કરે છે તેમાં પણ કોઈ અન્ય તરફથી ત્રાસ પડે ત્યારે તેને દોષ દેવામાં બુદ્ધિને કામે લગાડો કે પોતાના કર્મને લક્ષ્યમાં રાખો ! વિચારજો આપણે ચંદના બની શકીએ અને મૂળા પણ બની શકીએ. ચંદના બનવામાં ઢોળાવનું પાણી ઉપર ચઢાવવાનું છે, અને મૂલા બનવામાં પાણીને ઢાળમાં રેડી દેવાનું છે. માનવને હલકી મનોવૃત્તિને આકાર લેતાં બહુ શોચવું પડતું નથી, પણ મનોવૃત્તિને કષ્ટ સહીને ઉદાત્ત બનાવવામાં ઘણું બળ કરવું પડે છે. આખરે મનોવૃત્તિની શુદ્ધતાનો આનંદ જ જાણે છે તે માણે છે. માટે ચંદના બનવું પસંદ કરજો, પ્રારંભનું થોડું કષ્ટ પણ પરિણામ સુખદ છે. દીર્ઘકાળથી વિપરીતરૂપે પરિણમેલી મનોવૃત્તિને આદર્શના, ઉચ્ચ શિખરે ચઢાવવાની ભાવના કેમ ઊઠે! અને કદાચ ઊઠે તો તેવું પ્રેરણાબળ કેમ પક્કાય? જીવમાં એક વાર આત્મવિચારનું કિરણ પ્રગટે છે પછી તેને યોગ મળે છે. અશુભના યોગમાં ફસાયેલી એ રાજકન્યાને માતાએ આપેલા સંસ્કારને કારણે નવકારમંત્રનું શરણ સૂઝયું, શીલને સાચવવા જીવનનો મોહ ત્યજી દેનાર એ ધારિણીના મૃત્યુ દ્વારા વિકારી સુભટની મનોવૃત્તિએ પલટો લીધો. માતા-પુત્રીના ધર્મ ધારણ કરવાના મનોભાવની અસર સુભટ ઉપર થઈ એમ માનીએ તો તે અસ્થાને નથી. ત્રણ દિવસના ઉપવાસ પછી તમારે માટે બનાવેલી સુંદર ભોજનસામગ્રીમાં કંઈ કચાશ રહી હોય તો તે વખતે શું વિચાર જન્મે ? જો ઉપવાસમાં આત્મવિચાર પ્રગટ્યો હોય તો સમતા અને સંયમ પેદા થાય. નહિતો મનમાં કડવાશ પેદા થાય. ચંદનાને ત્રણ દિવસ પછી 4 હિતશિક્ષા # ૧૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy