SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ આપણા માટે કથા રહી છે. વ્યથા બની નથી. માન અપમાન સમગણે, સમગણે કનકમણિ પાષાણ રે વંદક નિંદક સમ ગણે સમગણે તૃણ મણિખાણ રે. અભિનવ અભિગ્રહનો મર્મ w ww વાતાવરણમાહહહહહાહાહાકાર કરનારા રીતે પ્રભુ મહાવીરની તપશ્ચર્યા પણ અનોખી હતી. તેમના અતિન્દ્રિયજ્ઞાનમાં અતીત અને અનાગત કેવા સ્વરૂપે ઝળક્તા તે ઘટેલી ઘટનાઓ પરથી સમજાય છે. જ્યાં માનવીને મોત દેખાય ત્યાં પ્રભુને કોઈ અમરત્વનું રહસ્ય દેખાય, તેથી તો દૃષ્ટિવિષ સર્પની સન્મુખ જઈ, અમદૃષ્ટિ વડે દૃષ્ટિવિષને તેમણે હરી લીધું. અને સર્પને જીવનનું અમૃત આપ્યું. એક સો પંચોતેર દિવસના એ તપમાં પણ એવું જ કોઈ ગૂઢ રહસ્ય નિર્મિત થયું હતું. પ્રભુએ એક ઉગ્ર અભિગ્રહ ધારણ કર્યો, એ પ્રગટ થયો એક સો પંચોતેર દિવસ પછી, ત્યાં સુધી કોઈ એનો મર્મ જાણી શક્યા ન હતા. એ અભિનવ અભિગ્રહમાં કેટલાં તથ્યોનું પ્રભુએ નિરાકરણ કર્યું હતું. જે કાળમાં સ્ત્રીની જીવનદશા મહદંશે અત્યંત અંધકારમય હતી. એક રાજાને અનેક રાણીઓ, સ્ત્રીનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નહિ, ગણિકાઓનું કદાવસમું જીવન, દાસીપણાની પરાધીનતા. રામયુગમાં ય આવું બન્યું. અને મહાવીર યુગમાં એ બન્યું. સ્ત્રીને જગતમાં આત્મવત્ માનવાની શિક્ષા આ દૃષ્ટાંતથી મહાવીરે પ્રગટ કરી છે. જાણે કે સહજપણે જ સ્ત્રીજીવનના અવમૂલ્યનને દૂર કરવા તેઓએ અભિગ્રહ ધારણ કર્યો. દાસત્વ પામેલી રાજકન્યાને” હસ્તે પારણું કરીશ. ૧૦૨ ૪ હિતશિક્ષા w wwwwwwwwwwwwwwwwwwwWRWANAWAWAINWANAWAANAAMANAWANAN Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy