SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રગટાવે તો તે દેવત્વ પામે. પણ જીવનમાં પશુતાને આચરે તો માનવ મટીને સર્પ થાય. અને પશુ થયા છતાં દેવત્વને પ્રગટાવે તો પશુ મટી દેવ બને. આવું પશુત્વ અને દેવત્વ ક્યાં નથી? તે તો પ્રત્યેક જીવની પ્રકૃતિમાં બિરાજમાન છે ભગવાનનો યોગ પામી પશુઓ પણ દેવત્વ પામ્યા તો હે માનવ ! તું પણ પ્રભુના દ્વાર સુધી પહોંચ્યો છું. અને માનવ દેહને તો મુક્તિનું દ્વાર કહ્યું છે, તો હવે તું એ ધારેથી પાછો ન વળતો. થોડું વધુ સાહસ કરી સંસારભાવને ઘટાડી દે. જીવનને નિર્દોષ બનાવી દે, કૂડકપટ છોડી દે, માયામમતાથી મુક્ત થા, તો દ્વારમાં પ્રવેશ પામેલો તે પ્રભુ ચરણના શરણનો સાચો સાધક થઈશ. પછી તને સુખ જ સુખ છે. હુપદની ગ્રંથીને છોડી, માયા કેરા ગઢને તોડી, પ્રકાશમય આ પ્રભુના પંથે, હળવે હળવે સરતો જા ઓમ નમો અરિહંતાણંનો, મંત્ર સદા સમરતો જા આવ્યો છે તે આ સંસાર સફળ જન્મ તું કરતો જા. ન કર્યા ન હતાં કેવળ નિઃસ્પૃહતા જૈનદર્શનમાં ભગવાન વીતરાગ છે. અકર્તાભાવ તેમની વિશેષતા છે. તો પછી ભગવાન ભક્તનું ભલું કરે કે નહિ ? જો તેઓ ભલું કરવાના ના હોય તો તેમને ભજવાથી શું લાભ ? ભાઈ ! વીતરાગ ભગવાનની એ જ વિશેષતા છે કે તેમને કર્તાપણે કંઈ કરવાનું નથી. દર્શન આપીને ચમત્કાર બતાવવાના નથી. પણ તેમના નામનો મહિમા જ એવો છે, કે ભક્તોનું ભલું થઈ જ જાય. ભક્તોમાં સમર્પણ અને શ્રદ્ધા હોય તો તે ભગવાનના નામમાત્રને અહંત સ્વરૂપે આરાધે તો તે પોતે જ અહંત થઈ જાય. દેવલોકમાં એક આશ્ચર્ય થયું. અસુરરાજ ચમરેન્દ્રને ઈન્દ્રરાજની ન ૯૬ હિતશિક્ષા | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy