SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાનનો સાક્ષીભાવ - - -- - ----------- જગતમાં જન્મેલો સુખભોગમાં લોલુપ માનવી જાણતો નથી, પણ તેને તૃણનું ઋણ ચૂકવ્યા વગર ચાલવાનું નથી. કર્મનો કોયડો એવો ભયંકર છે કે મોટા માંધાતાઓ ઊંઘતા રહ્યા અને કર્મે તેમને ધરતી પર આળોટતા કરી દીધા. ભગવાનનો એક જન્મ ત્રિપૃષ્ઠ વાસુદેવ હતો. ત્યારે પેલા વિકરાળ વનરાજને તેમણે દાળની ફાડ જેમ ચીરી નાંખ્યો હતો. તે સિંહ કાળક્રમે એક નાગકુમાર દેવ તરીકે ઉત્પન્ન થયો હતો. આ દેવના અવધિજ્ઞાનમાં તેણે ભૂતકાળના વાસુદેવ અને પોતાનો સંબંધ જોયો. જેમ પેલા સર્પને વિષનો યોગ મળ્યો અને વેર યોજન સુધી વિસ્તરી ગયું. તેમ દેવના ભવમાં આ જીવને વૈક્રિય લબ્ધિનો યોગ ઊર્ધ્વલોકમાંથી ધરતી પર લઈ આવ્યો અને વૈરવૃત્તિનો વેગ પ્રચંડ બન્યો. તેં મને માર્યો હતો, હવે તારો વારો. અને બિચારી નૌકા ઊછળવા માંડી. નદીના નીર તો જાણે આકાશે પહોંચશે તેવું વિકરાળ રૂપ થઈ રહ્યું. સઢ સુકાન તૂટવા લાગ્યાં. સૌ યાત્રીઓના જીવ તાળવે ચોંટ્યા. સૌને યમલોક દેખાવા માંડ્યો. દરેક પોતાના ઈષ્ટદેવને પોકારવા લાગ્યા. તે સૌને ખબર ન હતી કે સાક્ષાત્ દેવ આ જ નૌકામાં છે. હમણાં તોફાન શમી જશે અને સૌ ક્ષેમકુશળ રહેશે. જૈનશાસનના ભગવાન ન જાતરક્ષણ કરે, ન પરના કર્તા બને. હા. પણ તેમનું પુણ્ય જ એવું પ્રબળ હોય કે તે સંકટ હરનારું બને. આ પ્રલયકાળ વખતે ભગવાનના ભક્ત બે દેવોએ પોતાના અવધિજ્ઞાનમાં આ પ્રલય જોયો. તેઓ પણ દૈવીશક્તિવાળા હતા. તરત જ ધરતી પર ધસી આવ્યા. એક દેવે પ્રલય શમાવ્યો. બીજાએ પેલા નાગદેવનું દમન કરી ભગાડી મૂક્યો. 8 હિતશિક્ષા : દેવત્વ અને પશુત્વ જીવનનાં બે પાસાં છે. જો માનવ મનુષ્યત્વને હિતશિક્ષા જ ૯૫ ૧૧ મનુષ્યત્વને * ૯૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy